લણણી સમયે જ કમોસમી વરસાદ ઉત્તર ગુજરાતના ખેડૂતો ચિંતાતુર

836
gandhi2032018-1.jpg

ઉત્તર ગુજરાતના ૫ જિલ્લા અને અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્‌યો હતો. મોડી રાત્રે બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાં ઝાપટું પડતાં ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા હતા. તો વહેલી સવારે સુરત, વડોદરા, સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, નર્મદા,ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ સહિતના જિલ્લામાં ઝાપટું અને વાદળછાયું વાતાવરણ જામ્યું હતું.
ગુજરાતમાં એકબાજુ પાણીની પણોજણ છે ખેડૂતો ઊભા પાકને બચાવવા પાણી માટે વલખાં મારી રહ્યા છે ત્યારે રાજ્યના કેટલાક પાકો તૈયાર થઈ જતાં તેની લણણી કરવામાં આવી રહી છે. ઘઉં, બટાટા, ડુંગળી, લસણ જેવા પાકો તૈયાર થઈ ગયા છે અને તેની લણણીની કામગીરી ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે આવા પાકોમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. ખેડૂતો કમોસમી વરસાદને પગલે ચિંતાતૂર બન્યા છે.
વાતાવરણના પલટાથી ઉભા પાકને નુકસાન થવાની ભિતી સેવાઇ રહી છે. હાલમાં ખેતરમાં વાવેલા ઉભા પાકને વરસાદના કારણે નુકશાન થઈ શકે છે.એક તરફ ખેડૂતોની સ્થિતિ પહેલેથી નબળી ચાલી રહી છે, એવામાં વરસાદી મોસમના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ઉપરાંત આ વર્ષે ઉનાળુ પાક માટે સરકારે પાણી પર કાપ મૂકવાનો વિચાર કર્યો છે, તેનાથી પણ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને બીજી તરફ વાતાવરણ પણ ખેડૂત સાથે મજાક કરવાના મૂડમાં હોય એવું જોવા મળી રહ્યું છે.
રાજ્યભરની સાથે સાથે સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ અચાનક પલટો આવી ગયો છે. સાબરકાંઠા જિલ્લાના તલોદમાં હળવા વરસાદી છાંટા પડ્‌યા હતા. જેના કારણે વાતાવરણ ઠંડુ બની ગયું હતું.જો કે આ કમોસમી વરસાદી છાંટાના કારણે જગતનો તાત ચિંતામાં મૂકાઈ ગયો છે. 
વાતાવરણના પલટાથી અને કમોસમી વરસાદના કારણે ખેડૂતો વાવેલા પાકને લઈને ચિંતામાં મૂકાયા છે. વરિયાળી અને રાજગરાના પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. બંગાળની ખાડીમાં થયેલ પરિવર્તનના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આ વાતાવરણ કેટલા દિવસ સુધી રહેશે તે અંગે હવામાન વિભાગે કોઈ માહિતી આપી નથી.

Previous articleચિલોડા સર્કલે નાકાબંધી કરી ૧૦ પેટી દારૂ સાથે બે આરોપી પકડ્‌યા
Next articleખેડબ્રહ્મા-અંબાજીમાં ચૈત્રી નવરાત્રીના પ્રારંભે ઘટસ્થાપન