બોરતળાવમાં દબાણો કરતા કૉંગ્રેસ દ્વારા મેયર કચેરી સામે ધરણા

835

બોરતળાવ ની હદમાં થયેલ ગેરકાયદેસર દબાણો ની સામે આજે કૉંગ્રેસ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા ના મેયર કચેરી સામે ધરણા કરવામાં આવ્યા હતા.
બે માસ આગાઉ વિપક્ષ દ્વારા બોરતળાવ માં ગેરકાયદેસર દબાણો સામે વિરોધ કરતાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મેયરે બે માસના દબાણ હટાવી લેવાની ખાતરી આપી હતી. પરંતુ બે માસ પૂર્ણ થવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા કોંગ્રેસ દ્વારા આજે મેર કચેરી સામે ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આજના કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા જયદીપ સિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી, કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રાજેશ જોશી, કોર્પોરેટર રહીમભાઈ કુરેશી, કોર્પોરેટર ભરતભાઈ બુધેલીયા, કોર્પોરેટર પારૂલબેન ત્રિવેદી, શિક્ષણ સમિતિના સભ્ય કલ્પેશ મણિયાર, લાલભા ગોહિલ સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

Previous articleભાવનગર ના કણબીવાડ વિસ્તારમાં ચોરીના ઇરાદે આધેડ ની હત્યા
Next articleલોકરક્ષક ભરતી 2018માં અનામત કેટેગરી વિદ્યાર્થીઓને અન્યાય થતા કલેક્ટરને આવેદન