સિહોર તાલુકાના કનાડ ગામ ના દીકરા એ પોતાના પિતાની આજીવન દોરી કાપી નાખી

1359

સિહોર તા.ના કનાડ ગામમાં રહેતા ક્ષત્રિય સમાજના પિતા પુત્ર ની સામાન્ય બોલા ચાલી માં દીકરા એ પિતા નું મર્ડર થતા મકરસંક્રાંતિ લોહિયાળ થઈ હતી.

વિગવાર જણાવતા ગઇ કાલે મકરસંક્રાંતિ ના રોજ યુવરાજસિંહ ઉર્ફે હકાભાઈ હાફુભા ગોહિલ રહે કનાડ વાળા ને તેમના પિતા હાફુભા ને કહેલકે કેમ વાડી એથી કેમ વહેલા આવી ગયા તમે વાડી એ પાછા જાવ ત્યારે મરણજનાર કહેલ કે થોડી વાર માં વાડી એ જાવ છું તેમ કહેતા મરણજનાર અને આરોપી વચ્ચે બોલાચાલી થતા આરોપી યુવરાજસિંહે ઉશ્કેરાઈ જઈ પિતા હાફુભાને માથાભાગે આડેધડ ધોકા ના ઘા મારમારતા લોહી લુહાણ થઇ જતાં પ્રથમ સિહોર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ ત્યાં થી વધુ સારવાર માટે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમિયાન મરણ થયેલ આ અંગે મરણજનાર ના પુત્ર વિજયસિંહ હાફુભા ગોહિલ ઉવ.34 રહે.કનાડ વાળા એ પોતાનાં પિતા નું ખૂન કરનાર યુવરાજ સિંહ વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ જે અંગે ની તે અંગે ની તપાસ પો.સબ.ઇન્સપેક્ટર. જે.બી.પરમાર સાહેબ કરી રહ્યા છે.

Previous articleભાવેણાનું આકાશ મકરસંક્રાંતિ પર્વે રંગ-બે-રંગ પતંગોથી છવાઈ : પતંગ રસીકો ઉત્સાહિત
Next articleકલેક્ટર ગૌરાંગ મકવાણાએ વિકોટોરિયા પાર્ક ખાતે ઘાયલ પક્ષીઓની મુલાકાત લઈ કેન્દ્રની સમીક્ષા કરી