ગીર ગઢડા તાલુકાના મહોબતપરા ગામે બે માલધારીઓ પર સિંહ હુમલો કરતાં ગંભીર ઈજાઓ પહોંચી

1028

પશુઓ ચરાવતાં દરિમયાન સિંહે હુમલો કર્યો હતો

ગીર ગઢડા તાલુકાના પણમહોબતપરા ગામે બે માલધારીઓ
૧) ગોવિંદભાઈ જેસાભાઇ વેગડ
૨) હમીરભાઈ માધાભાઇ કળોતરા
પર સિંહે હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પશુઓ પર સિંહે હુમલો કરતાં એ સમયે માલધારીઓ બચાવવા જતાં તેમના પર સિંહે હુમલો કર્યો હતો
સદનસીબે ત્યાં આજુબાજુ ના વાડી વાળા આવી જઇ ને સિંહને ભગાડયો હતો અને ત્યારે બાદ તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે બન્ને ખેડૂતો ને 108 મારફતે લાવવામાં આવ્યા હતા. આ બનાવની જાણ વન વિભાગ R.F.O સાહેબ થતાં તેમની સુચનાઓ દ્વારા વન વિભાગ સ્ટાફ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યો હતો.

રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

Previous articleપ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગારીયાધાર દ્રારા રાજયના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન કરાયું
Next articleગીર સોમનાથ જિલ્લામાં પડેલા સતત ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાન