પાલીતાણામાં યુવાનની હત્યાના મામલે વધુ ત્રણ ગિરફ્તારઃ આરોપીઓ ૩ દિવસના રિમાન્ડ પર

1302

પાલીતાણા નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્રની હત્યા નિપજાવી નાસી છુટેલા વધુ ત્રણ શખ્સને પાલીતાણા ટાઉન પોલીસે ઝડપી લીધા છે પાલીતાણા શહેરના દાણાપીઠ વિસ્તારમાં રવિવારે મોડીરાત્રીના એકટીવા સ્કૂટર પર જઇ રહેલા અયુબભાઇ ઉસ્માનભાઇ સૈયદ (ઉ.વ.ર૭) ને આંતરી ધકકો મારી પછાડી દઇ ૪ શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકી નાસી છુટયા હતા. જયારે લોહીયાળ ઇજાઓ સાથે અયુબભાઇનો પ્રથમ પાલીતાણા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અત્રેની સરટી હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. આ અંગે પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ અને મૃતક અયુબભાઇના પિતા ઉસ્માનભાઇ સુવાલીભાઇ સૈયદએ આમીન ઇબ્રાહીમ દલ સામે પોતાના પુત્ર અયુબભાઇએ ઉધારીમાં મોબાઇલ આપવાની ના કહ્યાની દાઝ રાખી તેની હત્યા નિપજાવ્યાની ફરીયાદ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાવી હતી. દરમ્યાનમાં ભાવનગર આરઆરસેલ ટીમે ગઇકાલે અયુબભાઇની હત્યા નિપજાવી નાસી છુટનાર આમીન દલને ઝડપી લીધા બાદ આજે પાલીતાણા ટાઉન પોલીસના અધિકારી એન.એમ.ચૌધરી, ભરતભાઇ ચૌહાણ, જીગ્નેશ મારુ, વિજયસિંહ ગોહિલ, હરેશ ઘાઘળ, ધનંજયસિંહ ગોહિલ, વલકુંભાઈ બરાળ અને ટીમે સમગ્ર ઘટનામાં વધુ સંડોવાયેલા સોહિલ ઉ.૨૦, આદિલ ઉ.૧૯, ફેઝલ ઉ.૧૯ તમામ રહે પાલીતાણાને ઝડપી લોકઅપ પાછળ ધકેલી દીધા છે ઉલ્લેખનીય છે કે મુખ્ય શખ્સ આમીનને કોર્ટેમાં રજૂ કરાતા ત્રણ દિવસના કોર્ટે રિમાન્ડ કર્યા સમગ્ર મામલે પાલીતાણા ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Previous articleજસપરા હાઈસ્કુલમાં સ્વેટરનું દાન
Next articleયુનિવર્સિટીનાં ૨૮૦૦૦ પરીક્ષાર્થીઓને રોગ પ્રતિરોધક હોમિયોપેથીક દવાના ડોઝનુ વિતરણ