સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભાવનગર શહેરમાં સફળતાપૂર્વક મેડીકલ કેમ્પ યોજાયો

423

સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ઝેડ એસ મસાણી ગર્લ્સ સ્કુલ, કાછીયાયાવાડ,ચબુતરા પાસે,ભાવનગર માતારીખ ૨૧ માર્ચ ૨૦૨૧ રવિવારના રોજ વિના મૂલ્યે મેડીકલ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં ભાવનગરના નામાંકિત ડોક્ટરો એ સેવા આપી હતી જેમાં ડો. ફીરદોશ દેખૈયા(એમ.એસ.-જનરલ સર્જન), ડો. શકીલ અહેમદ એદ્રુસી(એમડી એફસીસીસીએમ), ડો. ચિંતન રાઠોડ(ગાયનેકોલોજીસ્ટ),ડો.અલ્ફાઝ લાખાણી(પીડીયાટ્રિશ્યન) ડો.સિરાજ ખોખર(બીડીએસ), ડો. નિસાર ખોખર(બીડીએસ), ડો. સાલેહાબાનું પઠાણ(ફીઝીયોથેરાપીસ્ટ), ડો.અલીશા મકવાણા(ફીઝીયોથેરાપીસ્ટ),ઉપરાંત જનરલ ફિઝિશ્યન તરીકે ડો.ફરીદખાન પઠાણ, ડો. રફિકભાઈ કુરેશી, ડો.ફિરોઝ ખાન, ડો.રેશ્માબેન ખાન, ડો.અંજુમભાઈ ખોખર, ડો.શ્રદ્ધાબેન ખોખર,ડો. મુનીર ખોખર, ડો.શકીલ ખોખર, ડો.નુસરત પઠાણ, ડો.બેનઝીર કાઝી, અને સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત પ્રમુખ ડો.અવેશ ચૌહાણ અને લેબોરેટરી ટેક્નિશિયન નિલોફર ખોખર દ્વારા સેવાઓ આપવામા આવી હતી.અને કેમ્પમા ૫૧૮ દર્દીઓને ફ્રી મા સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ નુ પાલન કરતા ફરજીયાત માસ્ક પહેરી અને સેનેટાઈઝર ના ઉપયોગ સાથે સારવાર આપવામાં આવી હતી સાથે જરુરીયાત મુજબ નિશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી,

આ મેડીકલ કેમ્પ માં ભાવનગરના અગ્રણીઓ,વેપારીઓ,અને જમાત માં પ્રમુખશ્રી ઓએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કેમ્પને સફળ બનાવવા માટે સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ ડો.અવેશ ચૌહાણ, ઉપપ્રમુખ આસીફભાઈ સિપાઈ, મોહસીનખાન પઠાણ,રાજનભાઈ નાયક,શબ્બીરખાન પઠાણ,મંજૂર ઈલાહી ખતાઈ,ઈરફાનભાઈ મોગલ,સમીરભાઈ,પરવેજખાન પઠાણ, અનીશભાઈ કાજી,સિરાજભાઈ ખોખર તેમજ સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત ભાવનગર શહેરના સ્થાનિક જનરલ સેક્રેટરી અઝીઝભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ યુસુફખાન પઠાણ, સંગઠન મંત્રી ઈર્શાદભાઈ શેખ, ઇમરાનભાઈ બેલીમ,

અલ્તાફભાઈ ખોખર, મુસ્તુફાભાઈ દસાડીયા, રુસ્વેલખાન (મુન્નાભાઈ) પઠાણ, કરીમખાન પઠાણ, રાજુભાઈ ડોડીયા,મુનાફભાઈ હબીબાણી,ફારૂકભાઈ તુર્કી, અહેમદ રઝા, આસિફભાઈ ચાવડા, વિગેરે હાજર રહ્યા હતા સાથે આ મેડીકલ કેમ્પ માં સેવાકીય કાર્યમાં સોયબભાઈ બહાલવાન,નઝીરખાન પઠાણ, સેજાદભાઈ શેખ, ઈમ્તિયાઝ શેખ, ઇરફાન શેખ,સુફિયાન શેખ,ઈર્શાદ શેખ વિગેરે જેવા સ્થાનિક લોકોએ પણ આ કેમ્પ માં ઉમંગભેર ભાગ લીધો હતો

Previous articleજમ્મુ કાશ્મીરના શોપિયાં એન્કાઉન્ટરમાં ૪ આતંકી ઠાર, ૧ જવાન ઈજાગ્રસ્ત
Next articleશહિદો અમર રહો’ના નારા સાથે આપ અને ભાવનગરમાં સામ્યવાદીઓ દ્વારા શહીદોની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરાઇ