છેલ્લા બે દિવસમાં મહાપાલિકાએ રૂા. ૧.૩૦ કરોડ કરવેરાના વસુલ્યા

706

ભાવનગર મહાનગર પાલિકાએ શનિ-રવિની રજાના છેલ્લા બે દિવસમાં મિલ્કત વેરો સ્વિકારવાનું શરૂ રાખતાં રજાના દિવસોમાં પણ કરદાતાઓએ રૂા. ૧.૩૦ કરોડનો બાકી વેરો ભર્યો હતો. મનપાને મિલ્કતવેરાની સારી આવક થઇ હતી. ઘણા કરદાતાઓએ મિલ્કત વેરો ભરી રીબેટ યોજનાનો લાભ લીધો હતો. એપ્રિલ માસમાં મિલ્કત વેરો ભરનારને ૧૦ ટકા રીબેટ મળશે અને ઓનલાઈન પેમેન્ટ કરનારને વધુ ર ટકા રીબેટ મળશે તેનો લાભ લીધો હતો. અત્યાર સુધીમાં મનપાને આશરે રૂ. ૯.૮૦ કરોડની આવક થઈ હોવાનુ જાણવા મળેલ છે.
આ ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ પણ સ્વિકારવામાં આવ્યુ હતું. બે દિવસની રજામાં મહાપાલિકાને મિલ્કત વેરાની રૂ. ૧.૩૦ કરોડની આવક થઈ હતી અને આશરે ૩૩પ૦ કરદાતાએ મિલ્કત વેરો ભર્યો હતો. ગત શનિવારે આશરે ૧૯પ૦ કરદાતાએ રૂ. ૮૦ લાખનો મિલ્કત વેરો ભર્યો હતો, જેમાં આશરે ૧૦પ૦ કરદાતાએ રૂ. ૪ર લાખનો ઓનલાઈન વેરો ભર્યો હતો, જયારે આજે રવિવારે આશરે ૧૪૦૦ કરદાતાએ રૂ. પ૦ લાખનો વેરો ભર્યો હતો, જેમાં ૭પ૦ કરદાતાએ રૂ. ર૭ લાખનો ઓનલાઈન વેરો ભર્યો હતો. રજાના દિવસોમાં પણ વેરો ભરવા મનપાની કચેરીએ કતાર લાગી હતી. રીબેટ યોજનાનો કરદાતાઓ હાલ લાભ મેળવી રહ્યા છે. શહેરના બાકી કરદાતાઓને દર વર્ષની માફક ચાલુ વર્ષની આકર્ષક રીબેટ યોજનાનો તથા જુની કરપદ્ધતિમાં ચાર વર્ષની તથા વ્યાજ માફીની સ્કીમનો સત્વરે લાભ લઇ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીઓ (પૂર્વ તથા પશ્ચિમ) ખાતેની કેશબારીઓએ અથવા મહાનગરપાલિકાની વેબસાઇટ પર વેરો ભરપાઇ કરવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં મનપાને આશરે રૂ. ૯.૮૦ કરોડની આવક થઈ હોવાનુ જાણવા મળેલ છે.

Previous articleબજારમાં દિવસે ભારે ભીડ તો રાત્રી કર્ફયુનો મતલબ શું?…
Next articleભાવનગર શહેર અને જિલ્લામાં “ટીકા મહોત્સવ’’ અંતર્ગત બે હજારથી પણ વધુ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી મૂકાઇ