સિહોર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં સાયકલ યાત્રા

309

હાલમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસના બાટલા અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના અસહ્ય ભાવવધારો કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા તથા જીલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ રાઠોડની સૂચના અનુસાર સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોર ગુંદાળા ખાતે આવેલ શેલ પંપ થી લઈને સિહોરની મેઈનબજાર, કંસારાબજાર, સુરકા દરવાજા, વડલાચોક ખાતે સહી ઝૂંબેશ કરીને સિહોર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને આ ભાવવધારો પાછો ખેંચવા રજુઆત કરવામાં આવી હતી.
આ સાયકલ યાત્રામાં ગુજરાત જાહેર હિસાબ સમિતિના ચેરમેન અને ઉનાના ધારાસભ્ય પુજાભાઈ વંશ, મેહુરભાઈ લવતુકા, સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોકુળભાઈ આલ, પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, કિરણસંગ ઘેલડા, પ્રદેશ કોંગ્રેસ સહમંત્રી જયરાજસિંહ મોરી, નરેન્દ્રભાઈ ગોહિલ, યુવરાજ રાવ, પરેશભાઈ શુકલ, બળદેવભાઈ સોલંકી, સિહોર નગરપાલિકા સદસ્ય મુકેશભાઈ જાની, સુભાષ રાઠોડ,કરીમભાઈ સરવૈયા, ઉષાબેન જાની, ચન્દ્રીકાબેન નમસા, હીરાબેન સોલંકી તથા તાલુકા પંચાયતના સદસ્ય કરણસિંહ મોરી,જાહિદખાન બ્લોચ,અશોકસિંહ ગોહિલ તથા સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસના વિવિધ સેલના હોદ્દેદારો ,આગેવાનો તથા કાર્યકરો આ સાયકલ યાત્રામાં જોડાયા હતા.

Previous articleપૂર્વ સેનેટ સભ્ય શૈલેન્દ્રસિંહ ગોહિલનો આજે જન્મ દિવસ
Next articleઅંદાજે રૂા. એકાદ કરોડના ખર્ચે તૈયાર થયેલ પરશુરામ પાર્કમાં થ્રી ફેઝ કનેક્શન જ નથી