રાણપુર શહેરમાં પીજીવીસીએલ કચેરી ખાતે લાઈનમેનનો વિદાય સમારોહ

236

બોટાદ જીલ્લાના રાણપુર પી.જી.વી.સી.એલ.કચેરીમાં લાઈનમેન તરીકે સર્વિસ કરતા લાલજીભાઈ એમ.પારગી વયનિવૃત થતા રાણપુર પી.વી.જી.વી.સી.એલ.પેટા વિભાગીય કચેરી ખાતે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં એચ.કે.ગડારા-ડેપ્યુટી ઈજનેર, પી.જી.વી.સી.એલ. રાણપુર, બી.એસ.ચુડાસમા-જુનીયર ઈજનેર, એસ.બી.ઢુસા-જુનીયર ઈજનેર, વી.એમ.વાઢેર-લાઈન ઈન્સ્પેક્ટર, કે.એચ.ત્રિવેદી-લાઈનમેન, પી.બી.સુધાર-આ.સી.લાઈનમેન,કે.એ કટારા-આ.સી.લાઇનમેન, એચ.પી. પરમાર-આ.સી.લાઈનમેન સહીતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ,રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ મનહરભાઈ પંચાળા સહીત આગેવાનો હાજર રહ્યા હતા અને લાઈનમેન લાલજીભાઈ એમ.પારગી ને ફુલહાર તેમજ સાલ ઓઢાડી વિદાય આપવામાં આવી હતી. જ્યારે રાણપુર પી.જી.વી.સી.એલ.કચેરીના ઈજનેર એચ.કે.ગડારા તેમજ સ્ટાફ દ્રારા લાલજીભાઈ પારગી ની ૩૨ વર્ષની સેવાઓને બિરદાવી હતી.નિવૃતી પછીના દિવસો સારા સ્વાસ્થય અને દીર્ઘાયુષ ની પ્રાથના કરી શ્રીફળ,સાકર નો પડો તેમજ સન્માનપત્ર આપી વિદાય આપવામાં આવી હતી.

Previous articleજ્ઞાનશકિત અંતર્ગત ગઢડા ખાતે કાર્યક્રમ યોજાયો
Next articleકોવેક્સિન મ્યુટેશન ડેલ્ટા પ્લસ સામે લડવા માટે સક્ષમ : ICMR