નવસારી નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરુંઃ ડ્રાઇવરની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી

128

નવસારી,તા.૭
નવસારી નજીક ટ્રેનને ઉથલાવી નાખવાનું કાવતરું રચ્યું હતું પરંતુ માલગાડીના એક ડ્રાઇવરની સમય સુચકતાના કારણે આ કાવતરૂં નિષ્ફળ ગયું છે. જો આ માલગાડીના ડ્રાઇવરની નજર રેલવે ટ્રેક પર મૂકેલી લોખંડની એંગલો પર પડી ન હોત તો મોટૂ દુર્ઘટના સર્જાઇ ગઈ હોત. મળતી માહિતી અનુસાર, ગાંધી સ્મૃતિ સ્ટેશનથી નવસારી તરફ આવી રહેલી ટ્રેનના રેલવે ટ્રેક પર ઉપર કોઈ અસામાજિક તત્વોએ લોખંડની એંગલો મૂકી દીધી હતી. આ એંગલો બંધ ટ્રેક પર નહોતી પરંતુ ઉપયોગમાં લેવાતા ટ્રેક પર મૂકવામાં આવી હતી. આ દરમિયાન રોજના રૂટ પર બાજુના ટ્રેક પરથી પસાર થઈ રહેલી માલગાડીના ડ્રાઇવરની નજર આ એંગલો પર પડી હતી. આ દૃશ્યો જોતા જ તે ચોકી ગયો હતો. માલગાડીના ડ્રાઇવરે તાત્કાલિક વાયરલેસ દ્વારા સ્ટેશન માસ્ટરને આ અંગે જાણકારી આપી હતી. જેથી એક મોટી દુર્ઘટનાને ટાળી શકાઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તે સમયે જ મેમુ પસાર થવાનો સમય પણ થઇ ગયો હતો. જોકે, માલગાડીના ડ્રાઈવરની સમયસૂચકતાએ અનેક લોકોના જીવ બચાવી લીધા હતા.

Previous articleત્રિપુરાના સીએમની હત્યાનો પ્રયાસ, ત્રણ લોકોની ધરપકડ
Next articleમંદીની વાતો વચ્ચે ગુજરાતમાં જુલાઈ મહિનામાં ગાડીઓના વેચાણે ૫ વર્ષનો રેકોર્ડ તોડ્યો