નવાગામના આર્મી જવાનનુ શંકાસ્પદ હાલતમાં મોત

154

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નવાગામ નાના ગામે એક આર્મી મેન યુવાનનું શંકાસ્પદ હાલતે મોત નિપજતાં સમગ્ર બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નવાગામ નાના ગામનો યુવાન કિશોર રામજીભાઈ ચુડાસમા ઉ.વ.૨૯ દેશનાં સંરક્ષણ વિભાગમાં-આર્મીમાં ફરજ બજાવતો હોય તાજેતરમાં રજા લઈ માદરે વતન આવ્યો હતો જેમાં આજરોજ બપોરના સુમારે કિશોર ના પરિવાર ના સભ્યો તેને બેશુદ્ધ હાલતે સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે લાવ્યાં હતાં જયાં ફરજ પરના તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો અને લાશને પીએમ માટે મોકલી આપ્યો હતો આ યુવાનનું કયાં કારણોસર મોત થયું તે અંગે નું કારણ સ્પષ્ટ થયું નથી પરંતુ મૃતકની સાથે આવેલા સ્વજનોમા થતી ચર્ચાઓ મુજબ યુવાને કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે ખરૂં તથ્ય પીએમ રીપોર્ટ બાદ જ જાણવા મળશે આ અંગે મૃતકના પરિજનોએ અલંગ પોલીસને જાણ કરતાં પોલીસે પરીવારના સભ્યોના નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleભાવનગરના સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે ‘શહેરી જન સુખાકારી દિવસ’નો કાર્યક્રમ યોજાયો
Next articleશહેરના પ્રેસરોડ પર અજાણ્યા વાહન અડફેટે શ્રમજીવી યુવાનનું મોત નિપજ્યું