વડાપ્રધાન મોદીએ કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોને નવમો હપ્તો જાહેર કર્યો

556

)ન્યુ દિલ્હી,તા.૯
પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો નવમો હપતો જાહેર કરી દીધો છે. પીએમ મોદીએ આજે ૯માં હપતાના પૈસા જારી કરી દીધા છે. દેશના ૯.૫ કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ હપતામાં સરકારે ૧૯૫૦૦ કરોડ રૂપિયા જાહેર કર્યા છે. આ યોજનામાં સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક ૬૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરે છે. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે, ’આજે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૯.૭૫ કરોડ ખેડૂતોને ૧૯,૫૦૯ કરોડ રૂપિયાની સન્માન રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી. તેમણે કહ્યું કે, ’હવેથી કેટલાક દિવસ પછી જ ૧૫ ઑગષ્ટ આવવાની છે. આ વખતે દેશ પોતાનો ૭૫મો સ્વતંત્રતા દિવસ મનાવવા જઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ પડાવ આપણા માટે ગૌરવનો તો છે જ, આ નવા સંકલ્પો, નવા લક્ષ્?યોનો પણ અવસર છે. આ અવસર પર આપણે નક્કી કરવાનું છે કે આવનારા ૨૫ વર્ષોમાં આપણે ભારતને ક્યાં જોવા ઇચ્છીએ છીએ.’ પીએમ મોદીએ કહ્યું કે, ’દેશ જ્યારે આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે, ૨૦૪૭માં ત્યારે ભારતની સ્થિતિ શું હશે, આ નક્કી કરવામાં આપણી ખેતી, આપણા ખેડૂતોની ઘણી મોટી ભૂમિકા છે. આ સમય ભારતની ખેતીને એક એવી દિશા આપવાનો છે, જે નવા પડકારોનો સામનો કરી શકે અને નવા અવસરોનો લાભ ઉઠાવી શકે. તેમણે કહ્યું કે, ’સરકાર ખેડૂતોને નવી આવક અને નવી ટેકનોલોજી આપવા માટે પ્રતિબદ્ધ છે. આપણે ૭૦૦ કરોડ રૂપિયાના મધની નિકાસ કરી છે. કાશ્મીરનું કેસર તો વિશ્વ પ્રસિદ્ધ છે જ. હવે દેશભરમાં નાફેડની દુકાનો પર આ ઉપલબ્ધ હશે. આનાથી કેસરના ખેડૂતોને ફાયદો થશે.’ પ્રધાનમંત્રીએ કહ્યું કે, ’ખેડૂત અને ખેડૂતની ભાગેદારીના કારણે ભારતના અન્ય ભંડાર ભરેલા છે. ખાંડ-ઘઉં-ચોખામાં જ આત્મનિર્ભરતા જરૂરી નથી, પરંતુ દાળ અને તેલમાં પણ આત્મનિર્ભરતા ખેડૂતો કરીને બતાવશે. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, ’કેટલાક વર્ષ પહેલા જ્યારે દેશમાં દાળોની ઘણી તંગી થઈ ગઈ હતી, તો મેં દેશના ખેડૂતોને દાળ ઉત્પાદન વધારવા માટે આગ્રહ કર્યો હતો. મારા એ આગ્રહને દેશના ખેડૂતોએ સ્વીકાર કર્યો. પરિણામ આવ્યું કે, ૬ વર્ષમાં દેશમાં દાળના ઉત્પાદનમાં લગભગ ૫૦ ટકાનો વધારો થયો છે.

Previous article૨૫ વર્ષ પહેલા થયેલ ચોરીને સુરેન્દ્રનગર એસઓજીએ ઉકેલીઃ ૨ની ધરપકડ
Next articleમુંબઇ લોકલ ટ્રેનસેવાની શરુઆત ૧૫ ઓગસ્ટથી થશેઃ મુખ્યમંત્રીની જાહેરાત