યુએઈની પીચ સ્પિનરોને મદદ કરતી રહી છે અને તેથી જ અશ્વિનની પસંદગી કરવામાં આવી

116

ન્યુ દિલ્હી, તા.૦૯
આંતરરાષ્ટ્રીય T20 મેચમાં, તેની ઇકોનોમી ૬.૯૭ અને સ્ટ્રાઇક રેટ ૧૯.૭૦ છે. પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ ટીમ વિશે કહ્યું, અશ્વિન અમારા માટે મહત્વનો ખેલાડી છે. તેણે ૈંઁન્ માં સારું પ્રદર્શન કર્યું છે અને અમને અનુભવી ખેલાડીઓની જરૂર છે. વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત હોવાથી અમને ઓફ સ્પિનરની જરૂર છે. અશ્વિન ટીમમાં એકમાત્ર ઓફ સ્પિનર છે. વરુણ એક મિસ્ટ્રી સ્પિનર છે જે બેટ્‌સમેનોને આશ્ચર્યચકિત કરી શકે છે. પંડ્યા સંપૂર્ણપણે ફિટ છે અને તેના ક્વોટાની તમામ ઓવર કરશે. અમે ચહલ કરતાં રાહુલ ચાહરને પસંદ કર્યો છે કારણ કે અમે ઇચ્છતા હતા કે જે ઝડપી બોલિંગ કરી શકે અને ઝડપથી પીચ પરથી ઉતરી શકે. અક્ષર પટેલને રવિન્દ્ર જાડેજા માટે બેકઅપ ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ્‌૨૦ વર્લ્‌ડ કપ ૧૭ ઓક્ટોબરથી ૧૪ નવેમ્બર સુધી યુએઈ અને ઓમાનમાં રમાશે.ભારતે T20 વર્લ્‌ડ કપ માટે ૧૫ સભ્યોની ટીમમાં પાંચ સ્પિનરોનો સમાવેશ કર્યો છે. તેનું નેતૃત્વ અનુભવી રવિચંદ્રન અશ્વિન કરશે, જે ચાર વર્ષ પછી ્‌૨૦ ટીમમાં પરત ફરશે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી મર્યાદિત ઓવરની મેચોમાં મુખ્ય સ્પિનરની ભૂમિકા ભજવનાર યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને ટીમમાં સ્થાન મળ્યું નથી. પરંતુ ૩૪ વર્ષીય અશ્વિને ૯ જુલાઈ ૨૦૧૭ ના રોજ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મર્યાદિત ઓવરોની મેચ રમી હતી. જે T20 આંતરરાષ્ટ્રીય મેચ તે કિંગ્સ્ટનમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમ્યો હતો. જે બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પછી એવું કહેવામાં આવ્યું કે અશ્વિનને આરામ આપવામાં આવ્યો છે. પરંતુ તે કથિત આરામ હવે સમાપ્ત થઈ ગયો છે. યુએઈની પીચ સ્પિનરોને મદદ કરતી રહી છે અને તેથી જ અશ્વિનની પસંદગી કરવામાં આવી છે. તે ભારતીય ટીમમાં એકમાત્ર ઓફ સ્પિનર છે. અશ્વિન ભલે ભારતીય ટીમની બહાર ચાલી રહ્યો હોય પરંતુ આઈપીએલ માં તેની રમત સારી હતી. જ્યારે તે પંજાબ કિંગ્સ નો કેપ્ટન હતો ત્યારે પણ તે સારી રીતે રમ્યો હતો. અત્યારે તે દિલ્હી કેપિટલ્સ સાથે છે અને તેણે અહીં પણ સારું પ્રદર્શન કર્યું છે. અશ્વિને અત્યાર સુધીમાં ૪૬ ્‌૨૦ મેચ રમી છે અને ૫૨ વિકેટ લીધી છે. આ દરમિયાન આઠ રનમાં ચાર વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

Previous articleઅભિનેત્રી દિશા પટનીએ વીડિયો શેર કર્યો
Next articleબ્રિક્સ વિશ્વના ઉભરતા અર્થતંત્રો માટે પ્રભાવશાળી અવાજ : મોદી