ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા શહેરના તમામ વોર્ડ અને બૂથ દીઠ પુષ્પાંજલિ અર્પવામાં આવી

119

ગત ૨૫ સપ્ટેમ્બરના રોજ સૌના માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત એવા, એકાત્મ માનવવાદ અને પંચનિષ્ઠાના પ્રણેતા, શ્રદ્ધેય દિનદયાળ પંડિતજીની જન્મ જયંતિ નિમિતે ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા, શહેરના તમામ વોર્ડ અને બૂથ દીઠ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલ. શહેર પ્રમુખ રાજીવભાઇ પંડ્યા અને મહામંત્રીઑ યોગેશભાઇ બદાણી, અરુણભાઈ પટેલ, ડી. બી ચુડાસમાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં શહેરના તમામ વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, ચૂંટાયેલા નગરસેવકો અને મહાપાલિકાના પદાધિકારીઓ, સેલ-મોરચાના પ્રમુખ-મહામંત્રીઑ, વરિષ્ઠ આગેવાનો, કાર્યકરોએ શહેરના પ્રત્યેક બૂથ તેમજ મંદિરો તેમજ વિવિધ સ્થળોએ પંડિત દીનદયાળજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને તેમના “ એકાત્મ માનવવદ” પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરેલ. વિશેષમાં કેટલાક વોર્ડમાં ફ્રૂટ વિતરણ જેવા લોક ઉપયોગી સેવા કાર્યો કરવામાં આવેલ. આ ઉપરાંત શહેર ભાજપ સંગઠન દ્વારા એક વેબીનાર યોજવામાં આવેલ, જેમાં વક્તા તરીકે ચંદ્રકાંતભાઈ દવેએ પંડિત દીનદયાળજીના જીવન કવન વિષે માહિતી આપેલ તેમજ તેમની “ એકાત્મ માનવવાદ” વિષે સમજણ આપવામાં આવેલ, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમાર, સહકન્વીનર તેજસભાઈ જોશી અને પ્રવકતા આશુતોષભાઈ વ્યાસની યાદી જણાવે છે.

Previous articleભાવનગર મહાપાલિકાની ભરતી માટે આજરોજ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ
Next articleભારત સરકાર અને ગુજરાત સરકારના ઉપક્રમે પોષણ સપ્તાહની ઉજવણી કરાઈ