ફિલ્મ ચાલબાજની રીમેકમાં કામ કરવા આલિયા સહમત

1238

આશરે ૨૯ વર્ષ પહેલા રજૂ કરવામાં આવેલી ફિલ્મ ચાલબાજની રિમેક ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ ફિલ્મમાં   શ્રીદેવી, રજનિકાંત અને સન્ની દેઓલની ભૂમિકા હતી. નિર્દેશક પંકજ પરાશરની સુપરહિટ ફિલ્મ ચાલબાજની રીમેક ડેવિડ ધવન બનાવી રહ્યા છે. જેમાં આલિયા  ભટ્ટની પસંદગ શ્રીદેવીવાળા રોલ માટે કરવામાં આવી છે. ચાલબાજને આધુનિક રીતે યુવા પેઢીને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી શ્રીદેવીના રોલ માટે અભિનેત્રીની શોધ ચાલી રહી હતી. હવે તપાસ પૂર્ણ થઇ છે. ડેવિડ ધવને આલિયાની પસંદગી કરી હોવાની વાત કરી છે. આલિયા સાથે વાતચીત પણ કરી લેવામાં આવી છે. આલિયા ફિલ્મમાં ડબલ રોલ કરનાર છે. ચાલબાજની રીમેક બને તેવી ઇચ્છા  દુબઇમાં તેના એકાએક મોત પહેલા અભિનેત્રી શ્રીદેવીએ પણ હાલમાં વ્યક્ત કરી હતી. શ્રીદેવીએ પણ આલિયા ભટ્ટની જ વાત કરી હતી. રજનિકાંતના રોલમાં વરૂણ ધવન રહેશે. અનુપમ ખેરના રોલમાં રોલમાં તે પોતે જ નજરે પડી શકે છે. અગાઉની ફિલ્મમાં શક્તિ કપુર અને અન્નુ કપુરની પણ ચાવીરૂપ ભૂમિકા હતી. કાસ્ટિંગને લઇને ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં સન્ની દેઓલના રોલમાં કોણ રહેશે તે અંગે હજુ સુધી કોઇની પસંદગી કરવામાં આવી નથી. જો કે ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવી શકે છે. રામ અને શ્યામની રીમેક પર ચાલબાજ બનાવવામા ંઆવી  હતી. સીતા ઔર ગીતાની રીમેક  પર તે ફિલ્મ બની હતી. ચાલબાજમાં શ્રીદેવીએ જોરદાર એક્ટિગ કરીને તમામને રોમાંચિત કરી દીધા હતા.

Previous articleઘણી ફિલ્મ હાથમાં હોવાથી રણબીરે મોટી ફિલ્મ ફગાવી
Next articleહેન્ડમેઈડ, ચાંદીની રાખડીનો ટ્રેન્ડ સસ્તામાં સસ્તી રાખડી રૂ. ૨૦ની