રખિયાલમાં હોમગાર્ડઝ યુનિટ દ્વારા સ્નેહ મિલન અને સન્માન

1263

ગાંધીનગર જિલ્લા હોમગાર્ડઝ દળ દ્વારા દહેગામ તાલુકાના રખિયાલ ગામે ગુરૂવારે સ્નેહ મિલન તથા સન્માન કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.

સિવિલ ડિફેન્સના ડાયરેકટર જનરલ પી.બી.ગોંદીયા, અતિથિ વિશેષ તરીકે નાયબ કમાન્ડન્ટ જનરલ બિરેન્દ્રસિંહ રાણા, સરપંચ, હોમગાર્ડના કમાન્ડન્ટ વિષ્ણુભાઇ પ્રજાપતિ, રખિયાલ યુનિટના ઇન્ચાર્જ હિતેશકુમાર જાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી મહેમાનો તેમજ વિશિષ્ટ યોગદાન આપનારનું સન્માન કર્યુ હતુ.

Previous articleઅમદાવાદ ખાતે નવેમ્બર માસમાં ૪૫મું રાષ્ટ્રીય વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાશે
Next articleઅંબાજી જતા ભકતો માટે જિલ્લામાં ઠેરઠેર સેવા કેમ્પો લાગ્યા