દહેજથી ઘોઘા આવતું રો-રો ફેરી સર્વિસનું જહાજ મધદરિયે બંધ પડયું

5930

દહેજથી ભાવનગર આવી રહેલ રો-રો ફેરી સર્વિસનું જહાજ મધદરિયે એન્જીન ફેઈલ થઈ જતાં અટવાયું હતું. અને જેમાં મુસાફરો ઉપરાંત ૧૦૦ જેટલી કાર અને ટ્રક તથા ૧૦ સહિતનાો વાહનો પણ છે. એક કલાક ઉપરાંતના સમયથી બંધ પડેલ જહાજ અંગેની જાણ ભાવનગર પોર્ટ ઓફિસર સુધીર ચઢ્ઢાને કરાતાં તાત્કાલિકની અસરથી જહાજને ઘોઘા પરત લાવવા માટે ટગ રવાના કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જહાજમાં રહેલા મુસાફરોના જીવ હાલ અધરતાલ થઈ જવા પામ્યા છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleહું અને શાહીર શેખ માત્ર સારા મિત્રો જ છીએઃ એરિકા ફર્નાન્ડીસ