રાણપુરના અણીયાળી કસ્બાતી ગામે રેલ્વે ફાટક પાસે ટ્રેન નીચે પ્રેમી પંખીડાએ પડતુ મુકી જીવન ટુકાવ્યુ.

810

બંને વચ્ચે પ્રેમ સબંધ હોય પરંતુ બંનેની ઉમર નાની હોય જેથી લગ્ન થઈ શકે તેમ ન હોય જેથી બંને ને લાગી આવતા પગલુ ભર્યુ,બંને રહેવાસી બોટાદના
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના અણીયાળી કસ્બાતી ગામે રેલ્વે ફાટક પાસે રાણપુર બાજુથી સુરેન્દ્રનગર તરફ જતી માલગાડી ટ્રેન નિચે પ્રેમીપંખીડા પડતુ મુકી આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયેલ છે. આ બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી રાણપુર તાલુકાના અણીયાળી કસ્બાતી ગામે ગત રાત્રીના સમયે રેલ્વે ફાટક પાસે પ્રેમીપંખીડા એ માલગાડી ટ્રેન નિચે પડતુ મુકી જીવન ટુકાવ્યુ હતુ.આ બંને યુવક અને યુવતી એ સાથે ટ્રેન નિચે પડતુ મુકતા ઘટના સ્થળેજ બંને ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.આ બંને યુવક અને યુવતી બોટાદ શહેરના રહેવાસી છે.રેખાબેન બાબુભાઈ રોજાસરા ઉ.વ.૧૬ રહે.બોટાદ,યુવક રણજીતભાઈ લાલજીભાઈ કુંવરખાણીયા ઉ.વ.૧૭ રહે.બોટાદ આ બંને ને પ્રેમ સબંધ હોય પરંતુ બંનેની ઉમર નાની હોય જેથી લગ્ન થઈ શકે તેમ ન હોય જેથી બંને ને લાગી આવતા પોતાની જાતે ઘરેથી કોઈને કાઈ કહીયા વગર ઘરેથી નિકળક જઈ રાણપુર પાસે અણીયાળી ગામે રેલ્વે ફાટક પાસે રાણપુર બાજુ થી સુરેન્દ્રનગર બાજુ જતી માલગાડી નીચે બંને એ પડતુ મુકી જીવન ટુંકાવતા હતુ.જ્યારે આ બનાવ અંગેની જાણ રાણપુર પોલીસ ને થતા પોલીસે બંને મૃતક યુવક-યુવતી ને રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.માડે ખસેડવામાં આવેલ જ્યારે આગળની કાર્યવાહી રાણપુર પોલીસ સ્ટેશનના હેડ.કોન્સ્ટેબલ એન.ડી.પરમાર ચલાવી રહ્યા છે.

Previous articleશ્રી ભયલુબાપુએ રાણપુરમાં વિવિધ આગેવાનો અને સંસ્થાઓની મુલાકાત લીધી..
Next articleભાવનગરમાં પડતર માંગણીઓને લઈ તલાટી મંત્રીઓ માસ સી.એલ. પર ઉતર્યા