ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૨૫૭ નવા કેસ નોંધાયા

252

૨૪ કલાકમાં ૨૪૯૬૩ દર્દીઓ સાજા થયા, ૨૪૦૨૨૧ એક્ટિવ કેસ છે, દેશમાં રિકવરી રેટ ૯૭.૯૦ ટકા થયો
નવી દિલ્હી,તા.૮
ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ મહદઅંશે કાબૂમાં હોય એવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે. એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. ૨૦૫ દિવસ બાદ એક્ટિવ કેસ સૌથી ઓછા નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ રિકવરી રેટ પણ સુધરીને ૯૮ ટકા થયો છે. ગુજરાતમાં હાલ ૧૨૭ એક્ટિવ કેસ છે, જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ લોકો સંક્રમિત થયા છે. સૌથી વધુ ચિંતા કેરળમાં છે. અહીં છેલ્લા એક દિવસમાં ૧૨,૨૨૮ કેસ નોંધાયા છે, જ્યારે ૧૪૧ દર્દીએ જીવ ગુમાવ્યો છે. શુક્રવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૧,૨૫૭ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૭૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૯,૧૫,૫૬૯ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૯૩,૧૭,૧૭,૧૯૧ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૦,૧૭,૭૫૩ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૩૨ લાખ ૨૫ હજાર ૨૨૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૪,૯૬૩ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૨,૪૦,૨૨૧ એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ ૯૭.૯૦ ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ ૪,૫૦,૧૨૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૭ ઓક્ટોબર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૮,૦૦,૪૩,૧૯૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૩,૮૫,૭૦૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૦ કેસ નોંધાયા છે. જેની સામે ૨૨ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૫ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૪,૭૨,૭૩૯ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૬,૩૩,૨૮,૭૦૧ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.

Previous articleસુરક્ષા નહીં અપાય તો શિખ કર્મચારીઓ કામ નહીં કરે
Next articleRBI એ રેપો રેટ ૪ ટકા જાળવી રાખ્યો, લોનના વ્યાજ દર નહીં વધે