દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૮૬૨ નવા કેસ નોંધાયા

224

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કેસમાં થયો ઘટાડો : છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૭ સંક્રમિતોના મોત થયા અને એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨,૦૩,૬૭૮ પર પહોંચી
નવી દિલ્હી, તા.૧૫
દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે.શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૮૬૨ નવા કેસ નોંધાયા છે અને ૩૮૭ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨,૦૩,૬૭૮ પર પહોંચી છે. દેશમાં અત્યાર સુધીમાં ૯૭,૧૪,૩૮,૫૫૩ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૩૦,૨૬,૪૮૩ લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૫૮,૮૮,૪૪,૬૭૩ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી ૧૧,૮૦,૧૪૮ સેમ્પલનું ગઈકાલે ટેસ્ટિંગ થયું હતું. કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર ૬થી૭ સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર ૬થી ૮ સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયેે આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -૧૯ માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા ૬થી૮ સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર નવરાત્રિ, દશેરા, દિવાળી ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.

Previous articleખેડૂત આંદોલનના સ્થળ પર યુવકની નિર્દયતાથી હત્યા
Next articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દશેરાએ શસ્ત્રપુજા કરી