મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દશેરાએ શસ્ત્રપુજા કરી

420

આજે ૨૦મી વાર શસ્ત્ર પૂજા કરાઈ હતી, ગુજરાત મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજાની શરૂઆત મોદીએ કરાવી હતી, કેટલાક લોકોની જીભ જ શસ્ત્ર જેવી હોય છે : ભૂપેન્દ્ર
ગાંધીનગર,તા.૧૫
ગાંધીનગરમાં આજે સવારે દશેરાના પર્વ પર મુખ્યમંત્રી નિવાસસ્થાને શાસ્ત્રપૂજન કરાયુ હતું. ગુજરાતના નવા બનેલા મુખ્યમંત્રીના હસ્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યુ હતું. દશેરા નિમિત્તે આજે શસ્ત્રપૂજન કરાયુ હતું. મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રથમ વાર શસ્ત્ર પૂજન કર્યુ હતું. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયથી શસ્ત્ર પૂજનની ગાંધીનગરમાં પરંપરા રહી હતી. પૂજા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવા અંદાજમાં કહ્યું હતું કે, કેટલાક લોકોની જીભ જ શસ્ત્ર જેવી હોય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સવારે શસ્ત્ર પૂજા માટે પહોંચ્યા હતા. ગાંધીનગરમાં શસ્ત્ર પુજાની શરૂઆત ૨૦૦૨ ના વર્ષમાં થઈ હતી. ગાંધીનગરમાં આજે ૨૦ મી વાર શસ્ત્ર પૂજા કરાઈ હતી. ગુજરાત મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજાની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરાવી હતી. દશેરા નિમિત્તે મુખ્યમંત્રી નિવાસ્થાને શસ્ત્ર પુજન થાય છે. સલામતીના જવાનો સાથે મુખ્યમંત્રી આધુનિક શસ્ત્રોની પૂજા કરી હતી. દર વર્ષે મુખ્યમંત્રી દ્વારા પૂજન કાર્યક્રમનુ આયોજન કરાય છે. શસ્ત્ર પૂજન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે, આજે વિજયા દશમીનો તહેવાર છે. તેથી ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં શસ્ત્ર પૂજાનો પ્રારંભ કરાવ્યો હતો. આજે મને લાભ મળ્યો છે તેથી ધન્યતા અનુભવુ છું. આસુરી શક્તિ પર દેવી શક્તિનો હંમેશા વિજય થયો છે. શસ્ત્ર દરેક માટે જુદુ જુદુ હોય છે. દરેકને મળેલી જવાબદારી નિષ્ઠાથી નિભાવીએ તો એ વિજય છે, શસ્ત્રનો સદુઉપયોગ છે. કેટલાકની જીભ શસ્ત્ર જેવી હોય છે. રામ રાજ્યની કલ્પના સાકાર થાય તે જરૂરી છે, રામ રાજ્યની કલ્પનાને વડાપ્રધાન લઈ જઈ રહ્યા છે. દરેક માટે શસ્ત્ર બંદૂક તોપ કે એ ન હોય શકે. તેથી જે જવાબદારી મળી છે તે નિષ્ઠાપૂર્વક અદા કરી તે પૂજન જ છે.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૮૬૨ નવા કેસ નોંધાયા
Next articleઆરએસએસ પ્રમુખ મોહન ભાગવતે શસ્ત્ર પૂજા કરી