ભાવનગર ખાતેના બી.એ.પી.એસ. મંદિર ખાતે પૂજા- અર્ચના કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

110

મંદિર ખાતે નીલકંઠવર્ણીને જળાભિષેક કરતાં મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ભાવનગર ખાતેના કાર્યક્રમો પૂર્ણ થયે સંધ્યાકાળે વાઘાવાડી રોડ ખાતે આવેલ બી.એ.પી.એસ. મંદિર ખાતે દર્શન કરી પૂજા- અર્ચના કરી હતી. મુખ્યમંત્રીએ મંદિરમાં નીલકંઠવર્ણીએ જળાભિષેક કરી મંદિર ખાતેના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. મંદિર પરિસર ખાતે સોમપ્રકાશ સ્વામી, અધ્યાત્મસ્વરૂપ સ્વામી, યોગવિજય સ્વામી, ત્યાગરાજસ્વામી પણ મુખ્યમંત્રી સાથે રહ્યાં હતાં. મુખ્યમંત્રીની આ મુલાકાત સમયે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી. મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયા, શહેર ભા.જ.પ. પ્રમુખ રાજીવ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleબે વર્ષ પૂર્વે ફરિયાદકા રોડ પર યુવાન ઉપર ફાયરીંગ કરી જીવલેણ હુમલો કરનાર શખ્સને 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ
Next articleપાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળામાં પ્રથમ છત્રના અંતિમ દિવસે રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું