સેમિફાઈનલમાં પહોંચવા ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ટક્કર થશે

94

ભારત પાકિસ્તાન સામેની પ્રથમ મેચની હારમાંથી બહાર આવવા આતુર : જે ટીમ હારી જશે તેને સેમિફાઈનલમાં પહોંચવાનું ચિત્ર ધૂંધળું બનશે, જો જીતશે તો સ્કોટલેન્ડ, નામિબિયા, અફઘાનન જેવી નબળી ટીમો સાથે સ્પર્ધા
દુબઈ, તા.૩૦
રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં વિરાટ કોહલી જ્યારે ટોસ માટે ઉતરશે ત્યારે ઘણા સવાલોના જવાબ મળશે આઈસીસી ટી૨૦ વર્લ્ડકપના આગામી રાઉન્ડમાં પહોંચવા માટે ભારતે આ મેચ જીતવી પડશે. આવી જ સ્થિતિ ન્યૂઝીલેન્ડની હશે, ભારતની જેમ તેને પણ પાકિસ્તાને હાર આપી છે. આ મેચ બંને ટીમો માટે ’કરો યા મરો’ જેવી છે. જો તેઓ હારી જશે તો સેમિફાઈનલમાં પહોંચવાનું ચિત્ર ધૂંધળું બની જશે. જો જીતી જાય તો સ્કોટલેન્ડ, નામિબિયા, અફઘાનિસ્તાન જેવી પ્રમાણમાં નબળી ટીમો સાથે સ્પર્ધા છે. તેવામાં કીવીઓ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટે પાંચ મહત્વના સવાલોના જવાબ શોધવાના છે. હાર્દિક પંડ્યાની ફિટનેસ આ સમયે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો માથાનો દુખાવો છે. તે બોલિંગ કરશે કે નહીં? પરફેક્ટ રીતે મેચ રમવા માટે ફિટ છે કે નહીં? ટીમ કોમ્બિનેશનમાં તેની ભૂમિકા શું હશે, ઓલરાઉન્ડર કે પ્યોર બેટ્‌સમેન? વિરાટ કોહલીને ઘણા સવાલોના જવાબ શોધવાના છે અને કોચ રવિ શાસ્ત્રી અને મેન્ટર એમએસ ધોની આમાં તેની મદદ કરશે. પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક એક સ્પેશિયલિસ્ટ બેટ્‌સમેન તરીકે રમ્યો હતો અને ખભાની ઈજાને કારણે મેદાનની બહાર ગયો હતો. જોકે, શાસ્ત્રી, ધોની અને કોહલીની દેખરેખ હેઠળ તે પ્રેક્ટિસ સેશનમાં બોલિંગ કરતો જોવા મળ્યો છે. આ સ્થિતિમાં પંડ્યા વિરુદ્ધ અવાજો ઉઠી રહ્યા છે. ઘણા ભૂતપૂર્વ સિલેક્ટર્સ પંડ્યાને પ્લેઇંગ ૧૧માં રાખવાની ટીમ મેનેજમેન્ટની વાત સમજી શકતા નથી. પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના સિલેક્ટર સંદીપ પાટીલે કહ્યું, ’જો તે મેચ દરમિયાન અનફિટ થઈ જાય તો તમે કેવી રીતે કહી શકો કે તે ફિટ છે? મારો મતલબ છે કે આ વર્લ્‌ડ કપ છે, માત્ર સિરીઝ કે મેચ નથી. પંડ્યા અત્યારે સંપૂર્ણ ૪ ઓવર ફેંકવાની સ્થિતિમાં નથી લાગતો. જો મેનેજમેન્ટ તેને બહાર રાખવાનો નિર્ણય કરશે તો કેટલાક પ્રશ્નો ઉભા થશે. ઉદાહરણ તરીકે, શાર્દુલ ઠાકુર જેવા સેમી ઓલરાઉન્ડર કે પછી વેંકટેશ જે ઇમ્પ્રુવાઇઝ બોલિંગ કરી શકે છે તેને ટીમમાં રમાડવો જોઈએ. તેમજ બેટ્‌સમેન તરીકે શ્રેયસ અય્યર પણ એક વિકલ્પ છે પરંતુ પછી ટીમ પાસે બોલિંગમાં એક વિકલ્પ ઓછો પડશે. વિરાટ અને ટીમ મેનેજમેન્ટ માટે આ સંતુલન સૌથી મોટો પડકાર હશે. દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે હાર્દિક અને ભુવનેશ્વર કુમારની જગ્યાએ ઈશાન કિશન અને શાર્દુલ ઠાકુરને સામેલ કરવાનું સૂચન કર્યું છે. તેમણે એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે જો હાર્દિક પંડ્યા ખભાની ઈજાને કારણે બોલિંગ નથી કરી રહ્યો અને ઈશાન કિશન શાનદાર ફોર્મમાં છે તો હું ચોક્કસપણે તેને પંડ્યાથી આગળ ગણીશ. અને કદાચ, તમે ભુવનેશ્વર કુમારની જગ્યાએ શાર્દુલ ઠાકુરને પણ વિચારી શકો. ભૂતપૂર્વ ઝડપી બોલર અને મુંબઈના વર્તમાન મુખ્ય સિલેક્ટર સલિલ અંકોલાએ કહ્યું, “જો પંડ્યા બોલિંગ નહીં કરે તો તે કોઈપણ રીતે ટીમમાં ફિટ નહીં હોય. હું આ એટલા માટે નથી કહી રહ્યો કારણ કે હું મુંબઈનો છું પરંતુ જે લોકો થોડું ક્રિકેટ સમજે છે તેઓ પણ આ સમયે પંડ્યાને બદલે શાર્દુલ ઠાકુરને પસંદ કરશે. શાર્દુલે પોતાને કેટલું સાબિત કરવું પડશે? જ્યારે પણ તેને તક મળી છે તેણે પોતાની જાતને સાબિત કરી છે. જો તમને છઠ્ઠા નંબર પર ઓલરાઉન્ડર જોઈએ છે તો શાર્દુલ પરફેક્ટ છે. તે આ સમયે વિશ્વની કોઈપણ ટીમમાં
(અનુસંધાન નીચેના પાને)

Previous articleએમેરિકાના એચ-૧બી વીઝા ભારતીયો માટે વધુ સરળ
Next articleમોદી પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નહીં : રાજનાથસિંહ