પાલીતાણા ખાતે રહેણાંકી મકાનમાંથી રોકડ-દાગીના મળી ૧ લાખની ચોરી

840
bvn852018-10.jpg

પાલીતાણાના લક્ષ્મીનગર વિસ્તારના રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટકી કબાટમાં રાખેલા રોકડ રૂપિયા અને ચાંદીના દાગીના મળી રૂા.૧ લાખની ચોરી કરી નાસી છુટ્યા હતા.
બનાવની મળતી વિગત મુજબ પાલીતાણાના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા જગદિશભાઈ અમીરભાઈ કામ્બડ કાળઝાળ ગરમીના કારણે પરિવાર સાથે ગતરાત્રિના ઘરની અગાસીમાં સુતા હતા ત્યારે તસ્કરોએ તેનો લાભ લઈ ઘરના મુખ્ય દરવાજાના તાળા-નકુચા તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં રાખેલા રૂા.૧ લાખ પ હજાર રોકડા અને ચાંદીના છડા, કટલી સહિતની મત્તા મળી કુલ રૂા.૧ લાખ ૭ હજાર રપ૦ની ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવ અંગે જગદિશભાઈએ પાલીતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ એસ.પી. શાહીએ હાથ ધરી છે.

Previous articleસીદસરના મેઘાનગર વિસ્તારમાં પાણીનો કકળાટ
Next articleતળાવમાંથી કારતુસનો જથ્થો મળતા ચક્ચાર