સિંધુનગર ખાતે ફરસાણનાં ગોડાઉનમાં વિકરાળ આગ

628
bvn10520185-6.jpg

શહેરનાં સિંધુનગર ખાતે આવેલ લક્ષ્મીગૃહ ઉદ્યગના ફરસાણનાં ગોડાઉનમાં વહેલીસવારે આગનો બનાવ બનવા પામ્યો હતો જોત જોતામાં આગ વિકરાશ સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉનમાં રહેલ કાચો-પાકો માળ, ફર્નીચર, મશીનરી બળીને ખાક થઈ જવા પામ્યુ હતું. બનાવની જાણ થતાં ફાયર સ્ટાફ દોડી જઈ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
બનાવની મળતી વિગત મુજબ શહેરનાં સિંધુનગર વાસુરામ મંદિર વાળાખાંચામાં આવેલ રમેશભાઈ નાથુમલની માલીકીનાં લક્ષ્મીગૃહ ઉદ્યોગ નામના ફરસાણના ગોડાઉનમાં વહેલી સવારે વિકરાળ આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ ત્રણ કલાકની ભારે જહેમત ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગના બનાવમાં કાચો અને પાકો માલ ફર્નીચર મશીનરી બળીને ખાક થઈ ગયું હતું વહેલી સવારે લાગેલી આગમાં ગોડાઉનમાં રહેલ કારીગરોમાં નાશ-ભાગ મચી જવા પામી હતી.

Previous articleયુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના આદેશથી ર ટકા પગાર વધારાના વિરોધ સાથે બેંક કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર
Next articleમ.કૃ.ભાવનગર યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ અભિમુખતા કાર્યક્રમ યોજાયો