ભાવનગરમાં કોરોનાના નવા વધુ ૧ કેસ નોંધાયો

99

ભાવનગરમાં સતત આઠમાં દિવસે કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે શહેરમાં કોરોનાના એક નવા કેસ નોંધાયા હતા, શહેરમાં એક પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જિલ્લામાં એક્ટિવ કેસનો આંક વધી ને ૧૨ પર પહોંચ્યો છે. શહેરમાં નવ અને ગ્રામ્યનો ત્રણ એક્ટિવ કેસ છે. ભાવનગર શહેરમાં આજે એક પુરુષ સ્ત્રીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આજે એક નવા પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં એક્ટિવ કેસનો કુલ આંક ૧૨ પર પહોંચી ચૂક્યો છે. મહત્વનું છે કે, ભાવનગર જિલ્લો થોડા દિવસ પહેલા કોરોનામુક્ત થયો હતો. પરંતુ, છેલ્લા સતત આઠમાં દિવસે જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીના નોંધાયેલા કુલ ૨૧ હજાર ૪૮૦ કેસ પૈકી હાલ ૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓનું અવસાન થયેલુ છે.

Previous articleજૈન સમાજના ઉપધાન તપ આરાધના નિમિત્તે ૨૦૬ તપસ્વીઓને મોક્ષની માળા પહેરાવી
Next articleઆઝાદીકા અમૃત મહોત્સવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ઇતિહાસ ભવન ખાતે વિશેષ વ્યાખ્યાનનું આયોજન