ભાવનગર શહેરમાં કોરોનાના નવા વધુ ૪ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા ૨૭ થઈ

102

અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓના અવસાન થયા
ભાવનગરમાં દિવસને દિવસે કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે શહેરમાં કોરોનાના ચાર નવા કેસ નોંધાયો હતો, શહેરમાં ત્રણ પુરુષ અને એક સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જિલ્લામાં એક્ટિવ કેસનો આંક વધી ને ૨૭ પર પહોંચ્યો છે. શહેરમાં ૨૪ અને ગ્રામ્યનો ૩ એક્ટિવ કેસ છે. ભાવનગર શહેરમાં આજે ૩ પુરુષ અને એક સ્ત્રી કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આજે ચાર નવા પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં એક્ટિવ કેસનો કુલ આંક ૨૭ પર પહોંચી ચૂક્યો છે. મહત્વનું છે કે, ભાવનગર જિલ્લો થોડા દિવસ પહેલા કોરોનામુક્ત થયો હતો. પરંતુ, છેલ્લા ઘણા દિવસથી જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીના નોંધાયેલા કુલ ૨૧ હજાર ૪૯૫ કેસ પૈકી હાલ ૨૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓનું અવસાન થયેલુ છે.

Previous articleશિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જિલ્લા શિક્ષણ સમિતીની બેઠક યોજાઇ
Next articleનવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ઈ-શ્રમ કાર્ડના ઓનલાઈન ફોર્મ ફ્રીમાં ભરી અપાયા