દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૧૭ નવા કેસ નોંધાયા

89

સળંગ ૨૬માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે, દેશમાં હજુ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે
નવી દિલ્હી, તા.૨૩
ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૨૬માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૧૭ નવા કેસ નોંધાયા છે અને ૪૩૪ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૬૯૬૦ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૫૭૫ દિવસના નીચલા સ્તર ૭૮,૧૯૦ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૩૦૧૨ કેસ નોંધાયા છે અને ૩૮૩ સંક્રમિતોના મોત થયા છે. ૨૨ ડિસેમ્બરે ૬૩૧૭ નવા કેસ ૩૧૮ સંક્રમિતોના મોત થયા હતા. ૨૧ ડિસેમ્બરે ૫૩૨૬ નવા કેસ અને ૪૫૩ સંક્રમિતોના મોત થયા હતા. ૨૦ ડિસેમ્બરે ૬૫૬૩ નવા કેસ અને ૧૩૨ સંક્રમિતોના મોત થયા હતા. ૧૯ ડિસેમ્બરે ૭૦૮૧ નવા કેસ અને ૨૬૪ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૮ ડિસેમ્બરે ૭૧૪૫ નવા કેસ સામે આવ્યા હબતહતા અને ૨૮૯ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૧૭ ડિસેમ્બરે ૭૪૪૭ નવા કોરોના કેસ નોંધાયા હતા. અને ૩૯૧ સંક્રમિતોના મોત થયા હતા. ૧૬ ડિસેમ્બરે ૭૯૭૪ નવા કેસ અને ૩૪૩ સંક્રમિતોના મોત થયા હતા. ૧૫ ડિસેમ્બરે ૬૯૮૪ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૨૪૭ લોકોના મોત થયા હતા. ૧૪ ડિસેમ્બરે ૫૭૮૪ નવા કેસ અને ૨૫૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૧૩ ડિસેમ્બરે ૭૩૫૦ નવા કેસ અને ૨૦૨ લોકોના મોત થયા હતા. ૧૨ ડિસેમ્બરે ૭૭૭૪ નવા કેસ નોંધાયા હતા અને ૩૦૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૧૩૯,૬૯,૭૬,૭૭૪ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૭૦,૧૭,૬૭૧ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૨,૦૫,૭૭૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં ઓમિક્રોનના કુલ કેસ ૨૩૬ પર પહોંચ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં ૬૫ કેસ છે. જે બાદ મહારાષ્ટ્રમાં ૬૪, તેલંગાણામાં ૨૪, કર્ણાટકમાં ૧૯, રાજસ્થાનમાં ૨૧, કેરળમાં ૧૫, ગુજરાતમાં ૧૪, જમ્મુ-કાશ્મીરમાં ૩, ઓડિશા-ઉત્તરપ્રદેશમાં-આંધ્રપ્રદેશમાં ૨-૨ તથા ચંદીગઢ, લદ્દાખ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ૧-૧ કેસ છે.

Previous articleઓમિક્રોનના કહેર વચ્ચે રાજ્યોને સાવચેતી રાખવા કેન્દ્રની સલાહ
Next articleગાયની વાતને કેટલાક ગુનો ગણાવે છે : મોદી