સાળંગપુરના હનુમાનજી મંદિર ખાતે પૂનમ નિમિત્તે વરિયાળીનો શણગાર કરાયો

86

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ઘામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે પૂનમ નિમિતે વરિયાળીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ રૂબરૂ અને ઓનલાઈન દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ -શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પૂનમ નિમિતે તા.૧૬-૨-૨૦૨૨ને બુધવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવને વરિયાળીનો દિવ્ય શણગાર કરવામાં આવેલ તથા મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા એવં શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. પૂનમ નિમિતે કષ્ટભંજનદેવ દાદાનું વિશેષ પોડશોપચાર પૂજનનું આયોજન સાંજે ૫ઃ૩૦ કલાકે કરવામા આવેલ જેમા દાદાનું પૂજન કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરી આરતી સાંજે ૬ઃ૩૦ કલાકે કરવામાં આવેલ.હનુમાજી દાદાને વરિયાળીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હજારો હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Previous articleભાવનગરના સિંચાઇ વિભાગના અધિકારીએ બર્ફીલી રમતોમાં મેળવી નામના
Next articleમહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૧૫ ઠરાવો સર્વાનુમતે મંજુર