લોયાધામ સ્વામિનારાયણ મંદીર ખાતે હરીજયંતી સભા તથા ભગવાનને ધાન્ય અન્નકૂટ ધરાવાયો

68

રાણપુર પાસે આવેલ લોયાધામ સ્વામિનારાયણ મંદીર ખાતે આયોજીત મહામંત્ર વર્ષ 2078 અંતર્ગત હરજયંતી સભા તથા ધાન્ય અન્નકૂટ નું ભવ્યાતી.ભવ્ય આયોજન થયું હતું.

શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ના જીર્ણોદ્ધારક પ.પૂ.સદ.શા.શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી આસ-પાસ ના ગામડાના ભાવિક ભક્તજનોએ સંતોના મુખે કથા-વાર્તાનો લાભ લીધો હતો.તથા પોતાના ખેતરમાં જે અન્ન પાક્યું હતું તે અન્ન મહારાજ સમક્ષ અન્નકૂટમાં ધરાવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરીભક્તો હાજર રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleગઢડામાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કવોડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરાયુ,
Next articleનવ તોલા સોનું મુળ માલીક ને પરત કરતા એવા વિજયભાઈ ડાંગરે માનવતા નુ ઉત્તમ ઉદાહરણ પુરું પાડેલ છે