તણસા નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર વૃદ્ધાનુ મોત

59

ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાએ સ્થળ પર જ દમ તોડ્યો
ભાવનગર-તળાજા હાઈવે પર તણસા નજીક એક બાઈક સવાર વૃદ્ધ દંપતિને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં બાઈક પાછળ બેસેલી વૃદ્ધાને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તરસરા ગામના વતની અને હાલ ભાવનગર શહેરના તળાજા રોડપર રહેતા પલેવાળ બ્રાહ્મણ ભાનુશંકર જાની આજે સવારે તેના ઘરેથી બાઈક નં-જી-જે-૦૫-એચ એ-૯૭૫૬ સાથે તેના પત્ની જયાબેન ભાનુશંકર જાની ઉ.વ.૬૨ સાથે વ્યવહારીક કામ સબબ તેના ગામ તરસરા જઈ રહ્યાં હતાં તે વેળાએ ભાવનગર-તળાજા રોડપર તણસા ગામ નજીક બાઈક પાછળ આવી રહેલ અજાણ્યા ફોરવ્હીલ ના ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક રોડ સાઈડમાં સ્લીપ થતાં પાછળ બેસેલી વૃદ્ધા ઉથલીને રોડ સાઈડના ખાડામાં ખાબકતા તેને ગંભીર ઈજા પહોંચી હતી જેને પગલે વૃદ્ધા નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાઈક ચાલકની પુછતાછ કરતાં તેને કોઈ ઈજા ન થઈ હોવાનું જણાવ્યું હતું આ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleમહિલા ઉત્પીડન કેસમાં એક વર્ષથી વોન્ટેડ પરિવારને અમદાવાદથી ઝડપી લેતી લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ
Next articleનવાપરા વિસ્તારમાંથી પિસ્ટલ કાર્ટીસ સાથે સાજીદને ઝડપી લેતી SOG ટીમ