પુનમ નિમિત્તે સાળંગપુર હનુમાનજીદાદા ને દિવ્ય વાઘા પહેરાવી,કેરી નો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો…

35

બોટાદ જિલ્લાના સારંગપુર ધામ ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી દાદા ને પૂનમ નિમિત્તે આજરોજ તારીખ-૧૪-૬-૨૦૨૨ ને મંગળવારના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારીશ્રી વિવેક સાગર દાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા ને દિવ્ય વાઘાનો શણગાર કરી ૫:૩૦ કલાકે મંગળા આરતી પુજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તથા હનુમાનજીદાદાના સિંહાસનને ફુલો નો શણગાર કરવામાં આવ્યો હતો સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી તથા મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરે ૧૧:૧૫ કલાકે હનુમાનજીદાદા ને કેરી નો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો તેમજ ૫:૩૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચન અભિષેક કરી ૭ કલાકે સંધ્યા આરતી કરવામાં આવી હતી જેના દર્શન તેમજ આરતીનો લાભ હજારો ભકતોએ લીધો હતો તેમજ ઓનલાઇન થા પ્રત્યક્ષ દર્શન લઈ ભક્તોએ ધન્યતા નો અનુભવ કર્યો હતો…
તસવીર-વિપુલ લુહાર

Previous articleરોજગાર મુદ્દે મોદી સરકાર એકશનમાં
Next articleસેનામાં યુવકોની ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે