હોટેલ રૂમ-હોસ્પિટલના રૂમ સહિતની વસ્તુઓ મોંઘી થશે

9

જીએસટીના દરોમાં ફેરફાર થશે : એલઈડી લાઈટ, સોલાર હીટર, ખાધતેલ, પ્રિન્ટીંગ, લખવા માટે વપરાતી ચીજો માટે પર જીએસટીમાં ફેરફાર
મુંબઈ,તા.૨૮
ગુડ્‌સ એન્ડ સર્વિસ કાઉન્સિલની પ્રથમ દિવસની બેઠકમાં કર્ણાટકના નાણામંત્રીએ રજૂ કરેલા અહેવાલને મંજુરી મળી હોવાનું જાણવા મળ્યું છે. આ અહેવાલને મંજુરી મળતા અનેક ચીજોના જીએસટીના દરમાં ફેરફાર થશે એવું એક અહેવાલમાં જાણવા મળ્યું છે. જોકે, કેસીનો, ઓનલાઈન ગેમિંગ જેવી ચીજો ઉપર ૨૮ ટકાના દરે જીએસટી વસુલવા અંગેની ચર્ચા બુધવારે હાથ ધરવામાં આવશે સવું સુત્રોએ જણાવ્યું હતું. જે ચીજો ઉપર ટેક્સ વધશે એવી ચીજોમાં એલઈડી લાઈટ, ચામડાની બનાવટો ઉપર, સોલાર હીટર, ખાધતેલમાં, પ્રિન્ટીંગ, લખવા માટે વપરાતી ચીજો માટે ઉપર ટેક્સ ડ્યુટીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આવી ચીજોમાં કાચામાલ કરતા તૈયાર માલ ઉપર વધારે ટેક્સ હોવાથી તેના ટેક્સ વધારવામાં આવ્યા છે. જે ચીજોમાં વેરામુક્તિ મળતી હતી તેમાં ચોખા, ચોખાની બનાવટો, પાપડ, લસ્સી, છાશ, મધ, અનાજ વગેરેને હવે વેરામુક્તિ મળશે. રૂ. ૧૦૦૦થી ઓછા ભાડાં ઉપર મળતા હોટેલના રૂમને અત્યારે જીએસટીમાં મુક્તિ આપવામાં આવે છે હવેથી તેના ઉપર ૧૨ ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે. હોસ્પિટલમાં જે રૂમના ભાડાં રૂ.૫૦૦૦ કે તેથી વધારે હોય (જેમાં આઈસીયુનો ચાર્જ ગણવામાં નહી આવે) તેના ઉપર હવેથી જીએસટી પાંચ ટકા લાદવામાં આવશે. પોસ્ટકાર્ડ અને ઇનલેન્ડ લેટર સિવાય બુક પોસ્ટ, કવર કે જેનું વજન ૧૦ ગ્રામ કરતા વધારે હોય તેના ઉપર પણ જીએસટી લાદવામાં આવશે. આ ઉપરાંત, ચેકબુકની બેંક દ્વારા આપતી સેવા ઉપર પણ ૧૮ ટકા ટેક્સ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સોનું કે ઘરેણા એક રાજ્યથી બીજા રાજ્ય જતા હોય તો તેના માટે ઈવે બીલ ફરજીયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, રાજ્ય સરકારને કેટલા મૂલ્યથી ઉપર આ ઈ-વે બીલ બનાવવું તેની મર્યાદા નક્કી કરવની છૂટ આપવામાં આવી છે.

Previous articleરિલાયન્સ જિયોના ડાયરેક્ટર પદેથી મુકેશ અંબાણીનું રાજીનામું
Next articleરથયાત્રાની સુરક્ષા માટે પોલીસ તંત્ર એક્શનમાં