ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં એરફોર્સનું બીજુ જગુઆર પ્લેન ક્રેશ

1361

જામનગર નજીક વાયુસેનાનું વધુ એક જગુઆર પ્લેન ર્દુઘટનાગ્રસ્ત થયું છે. જોકે સદનસીબે પાયલોટનો આબાદ બચાવ થયો છે. ચાર દિવસમાં બીજુ વિમાન ર્દુઘટનાગ્રસ્ત થતાં આ ઘટનાની તપાસના આદેશ કરાયા છે.

ગુજરાતના જામનગર પાસે શુક્રવારે એરફોર્સનું વધુ એક જગુઆર પ્લેન ર્દુઘટનાગ્રસ્ત થતાં ફફડાટનો માહોલ પ્રસર્યો છે. વાયુસેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જગુઆર પ્લેને સવારે સવા નવ કલાકના અરસામાં જામનગરથી રેગ્યુલર ઉડાન ભરી હતી. જોકે પ્લેનમાં ટેકનિકલ ક્ષતિ હોવાનું ધ્યાને આવતાં સમય બગાડ્‌યા વિના પાયલોટે પ્લેનમાંથી પેરાશૂટ સાથે છલાંગ લગાવી હતી. સદનસીબે પાયલોટનો બચાવ થયો છે.  કચ્છના મુંદ્વા નજીક પ્લેન ક્રેશ થતાં થયા બે ટુકડા, પ્લેનમાંથી કૂદકો મારવા છતાં પાયલોટનું મોત અહીં નોંધનિય છે કે, ગત મંગળવારે મુંદ્રા નજીક એરફોર્સનું એક જગુઆર પ્લેન ક્રેશ થયું હતું. જોકે આ ર્દુઘટનામાં પાયલોટ એર કમોડર સંજય ચૌહાણનું મોત નીપજ્યું હતું.

Previous articleરાજ્યના ૩૩ જિલ્લામાં દર મહિનાની તા. ૧૪મીએ રક્તદાન કેમ્પ યોજાશે
Next articleJEE એડવાન્સ માટે સાત રાઉન્ડમાં કાઉન્સિલિંગ હશે