ભાજપ ભ્રષ્ટાચાર કરી મગફળી પાર્ટ – ર આચરવા જઈ રહી છે : કોંગ્રેસ

1424

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોના પાણી અને વીજળી સહિતના પ્રશ્નો તેમજ મગફળી મામલે મ્ત્નઁ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપની ખેડૂત વિરોધી નીતિને કારણે આજે ખેડૂત પાયમાલી તરફ ધકેલાઈ ગયો છે, ખેડૂતોમાં મોટી નિરાશા વ્યાપી છે. ખેડૂતોમાં વર્ગવિગ્રહ ફાટે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં કરવેરા વધારવાના કારણે તેમના પર સતત બોજ વધી રહ્યો છે. ખેત ઓજારો પર જીએસટી વધારીને તેમના પર ભારણ વધાર્યું છે. આવી વિવિધ સમસ્યાઓને લઈને સતત સંઘર્ષ કરતો ખેડૂત આજે દેવાના બોજ તળે દબાઈને આત્મહત્યા કરી રહ્યો છે.

પ્રજાની પરસેવાની કમાણીથી ભરાયેલી તિજોરીના સાડા ત્રણ હજાર કરોડનું રોકાણ કરીને સાડા સાત લાખ ટન મગફળી કરાઈ, તે પૈકી સાડા ૫ લાખ ટન મગફળી ગુજકોટ નામની સંસ્થા દ્વારા ખરીદવામાં આવી. આ સંસ્થા ગુજકોટ પાસે પુરતી વ્યવસ્થા નથી. માલ સંગ્રહ કરવા માટેના ગોડાઉન નથી. તેમજ માલની ખરીદી કરવા માટેનું કોઈ નેટવર્ક ન હતું. મગફળી ભાજપના મળતિયાઓના મીલોમાં પહોંચી, અને પીલાઈને તેના સિંગતેલના ડબ્બા બનાવીને વેચવામાં આવ્યા. ખાનગી માલિકો પાસેથી વચેટિયા દ્વારા ભાડે રખાયેલા ગોડાઉનમાં આવી ખરીદાયેલા મગફળીનો સ્ટોક રાખવામાં આવ્યો છે. જેમાં મગફળીના બદલે માટી, ઢેફા ભેળવી જે સરકારી ગોડાઉનમાં હતા, તેની સલામતીમાં સરકારે નિષ્ક્રીયતા દાખવી છે. ત્યાં કોઈ પોલીસ પહેરો રાખવામાં ન આવ્યો. મગફળીના કોથળામાં જે માટીની ભેળસેળ કરાઈ હતી, તે ભ્રષ્ટાચારને ઢાંકળા માટે પહેલા ગાંધીધામનું ગોડાઉન સળગાવાયું. બાદમાં ગોંડલ, હાથા, રાજકોટ અને બાદમાં સાકરના ગોડાઉનમાં પણ ઈરાદાપૂર્વક આગ લગાવવામાં આવી.

પરેશ ધાનાણીએ કહ્યું કે, ઝ્રૈંડ્ઢની તપાસમાં પણ આગના સમાન કારણોથી શંકા છે. સરકારે ઉતાવળે મગફળી વેંચી દેવા પ્રયાસ કરે છે. હજુ હજારો ટન મગફળી ખેડૂતોના ઘરમાં પડી છે. ખેડૂતોના ઘરે પડેલી મગફળીથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઓઈલ મિલોના વેપારીઓ સાથે સરકારે મીટિંગ કરી છે. તો વેપારીઓએ માલની ચકાસણી કરતા વીડિયો વાયરલ થયો હતો. જેમાં મગફળીની જગ્યાએ માટી નીકળી હતી. સરકાર મગફળી કાંડ ૨નું કૌભાંડ બજારમાં લાવી રહી છે. મગફળીના નામે પામોલીન અને ડાલડા ભરાઈને વેંચાશે. ભ્રષ્ટાચારના પુરાવા નાશ કરવાનો સમય આપવામાં આવ્યો. સરકાર નાફેડ ઉપર આરોપો લગાવી રહી છે. નાફેડનો અહેવાલ સરકારે જાહેર કરવો જોઈએ.

Previous articleગુજરાતમાં સી-પ્લેન એરક્રાફ્ટ ઓપરેશન્સ માટે ૩ રૂટ નક્કી કરાયા
Next articleરિઅર એડમિરલ સંજય રોય રાજપાલની શુભેચ્છા મુલાકાતે