રાજયમાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે ગરમીના પ્રમાણમાં વધારો

1720

અમદાવાદમાં ગરમીનું પ્રમાણ હજુ પણ ઘટી રહ્યું નથી. પારો આજે પણ ૪૧.૩ સુધી રહ્યો હતો. હળવા વરસાદી ઝાપટાની આગાહી તંત્ર દ્વારા અકબંધ રાખવામાં આવી છે. આંશિક વાદળછાયુ વાતાવરણ વચ્ચે આવતીકાલે પારો અમદાવાદમાં ૪૧ની આસપાસ રહે તેવી શક્યતા છે. સામાન્ય રીતે દર વર્ષે ૧૫મી જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય છે પરંતુ આ વર્ષે કેરળની જેમ જ દેશના અન્ય ભાગોમાં પણ વહેલીતકે મોનસૂનની એન્ટ્રી થઈ રહી છે. ગરમીના પ્રમાણ વચ્ચે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસ પણ વધ્યા છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન વધીને ૪૧.૩ ડિગ્રી થયું હોવા છતાં બપોરના ગાળામાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તીવ્ર ગરમીનો અનુભવ બપોરના ગાળામાં લોકોએ કર્યો હતો. અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. રસ્તાઓ ગરમીના કારણે સુમસામ રહ્યા હતા. લોકોની ચામડી દાઝી જવા જેવો અનુભવ આજે બપોરના ગાળામાં થયો હતો. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે પ્રમાણમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. જો કે, બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અમદાવાદમાં પણ સવારે હવામાનમાં પલ્ટો આવ્યો હતો. બીજી બાજુ દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેથી લોકોને આંશિક રાહત મળી હતી. આજે રાજ્યમાં સૌથી વધુ ગરમીનો અનુભવ અમદાવાદમાં થયો હતો જ્યાં પારો ૪૧.૩ ડિગ્રી રહ્યો હતો.   ાાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ નવ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૩૭૪ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના નવ દિવસના ગાળામાં ૧૩૯ અને ટાઇફોઇડના ૧૩૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના નવ દિવસના ગાળામાં ૧૪૭ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા.

Previous articleનાગરિકોની સુવિધાનો ધ્યેય કેન્દ્રસ્થાને રાખ્યો છે : મુખ્યમંત્રી
Next articleકોટડિયાને ભાગેડુ જાહેર કરી દેવા કોર્ટ પાસે માંગેલી મંજૂરી