દુષ્કર્મના ગુનામાં ફરાર વડલીનો શખ્સ ઝડપાયો

2075

નાગેશ્રી પોલીસ મથકમાં નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં ફરાર વડલી ગામના શખ્સને નાગેશ્રી પોલીસ મથકની ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. પોલીસ અધિક્ષક અમરેલીએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સુચના આપવામાં આવેલ જે અન્વયે આર.એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલાના માર્ગદર્શન ઈન્ચાર્જ સર્કલ પોલીસ ઈન્સ્પેકટરની સુચનાથી નાગેશ્રી પો.સ્ટે.માં છેલ્લા અઢીક મહીનાથી ઈપીકો : ૩૭૬ પ૦૬(ર) મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી કેશુભાઈ કુંભભાઈ સાંખા (ઉ.વ.૩પ રહે. વડલી વાળા)ને અટક કરેલ. ઉપરોકત કામગીરી નાગેશ્રી પોસ્ટેના પોલીસ સબ ઈન્સ. એ.વી.પટેલ તથા ટીબી આઉટ પોસ્ટના એ.એસ.આઈ. એમ.ટી. ચુડાસમા તથા એ.એસ.આઈ. જી.ડી.કાલીયા વિગેરેનાઓએ કરેલ.

Previous articleમુખ્યમંત્રીના હસ્તે ભારતના સૌથી મોટા બિઝનેસ સેન્ટરનું ઉદઘાટન
Next articleહજ યાત્રાએ જનારા લોકોનો તાલીમ કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો