મીતીયાળા ગામે વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે

1304

જાફરાબાદના મીતીયાળા વિશ્વ પ્રસિધ્ધ તપોવન ટેકરી તપસીબાપુના આશ્રમે અલ્ટ્રાટેક સિમેન્ટ, સુદર્શન નેત્રાલય, તાત્કાલિક હનુમાનજી ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન અને આયુર્વેદ નિદાન કેમ્પનું આગામી તા.૧ર-૮-ર૦૧૮ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

જાફરાબાદ તાલુકાના વિશ્વ પ્રસિધ્ધ તપોવન ટેકરી તપસીબાપુના આશ્રમે અલ્ટ્રાટેક સિમેન્ટ, સુદર્શન નેત્રાલય (અમરેલી) તાત્કાલિક હનુમાનજી ગરીબ મંડળ અને વિનામુલ્યે આયુર્વેદ સહિત કેમ્પનું આગામી તા.૧ર-૮-ર૦૧૮ના રોજ આયોજન કરેલ છે. જેમાં ગુજરાતથી પરદેશ સુધીની ખ્યાતનામ અલ્ટ્રાટેક સિમેન્ટના સેવાભાવી અધિકારીઓ જે માનવ સેવા માટે એક પછી એક કાર્યક્રમો કરતા રહે છે તેમજ ખ્યાતનામ સુદર્શન નેત્રાલયના અને આયુર્વેદ વિભાગના ડોક્ટરો સેવા બજાવી માનવ સેવા કરી રહ્યાં છે. જેમાં આ કેમ્પમાં નેત્ર નિદાન વિભાગ દ્વારા આંખોની તપાસ સાથે રાહતદરે ચશ્માનું વિતરણ થશે તેમજ આયુર્વેદિક જિલ્લા અધિકારી રામાનુજના માર્ગદર્શન મુજબ ડો.હેમાલીબહેન રાઠોડ મેડીકલ ઓફિસરની ખાસ ઉપસ્થિતિ રહેશે.

Previous articleદેવગાણા ગામે વિજ ચેકીંગ ટીમ પર હુમલો
Next articleનંદકુંવરબા મહિલા કોલેજ ખાતે મોટીવેશન કાર્યક્રમ યોજાયો