ભારત સરકારે એન્ટિગુઆને પત્ર લખ્યો,મેહુલ ચોક્સી અમને સોંપો

748

ભારત સરકારે પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી પર ગાળિયો વધારે મજબુત બનાવ્યો છે. ઈન્ટરપોલને રેડ કોર્નર નોટિસ આપ્યા વગર જ મેહુલ ચોક્સીને સોંપવાનું ભારત સરકારે એન્ટિગુઆને કહ્યું છે.

ભારતીય એજન્સીઓ દ્વારા એન્ટિગુઆને સ્પષ્ટ કહ્યું છે કે, મેહુલ ચોક્સીની ધરપકડ કરવા કે પછી તેને ભારતને સોંપવા માટે કોઈ જ પ્રકારની રેડ કોર્નર નોટિસની જરૂર નથી. આ સ્થિતિમાં ચોક્સીના પ્રત્યાર્પણની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવે તે જ યોગ્ય રહેશે. તો એન્ટિગુઆને આરસીએનમાં થઈ રહેલા વિલંબને લઈને પણ સલાવ ઉઠાવ્યાં હતાં.

સીબીઆઈએ વિદેશ મંત્રાલયને કહ્યું છે કે, ભારત ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ વગર જ ભાગેડુ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણના પ્રયાસ કરી શકે છે. કારણ કે, આ પ્રક્રિયા માટે કોઈ અનિવાર્ય જરૂરિયાત નથી.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ એન્ટિગુઆની સરકારે એ વાતની સ્પષ્ટતા કરી હતી કે, મેહુલ ચોક્સી તેના દેશમાં જ છે. અને તેને ત્યાંનું નગરિત્વ પણ મેળવી લીધું છે.

આમ મેહુલ ચોક્સી એન્ટિગુઆમાં હોવાનું જાણવા મળતાની સાથે જ ભારત સરકારે તેને સ્વદેશ પરત લાવવાના પ્રયાસ હાથ ધરી દીધા છે. હવે ગમે તે ઘડીએ મેહુલ ચોક્સીને ભારતમાં લાવવામાં આવી શકે છે.

Previous articleસમગ્ર દેશમાં ઉડાડી શકશો ડ્રોન, ઉડ્ડયન મંત્રાલયે આપી પરવાનગી
Next articleવોટ્‌સએપની પેમેન્ટ સર્વિસ ઉપર બ્રેક મુકવા માટે અરજી