રાજુલા તાલુકાના કડીયાળી ગામે ભાજપ આગેવાન જીલુભાઈ બારૈયા તેમજ સરપંચ મગનભાઈ દ્વારા શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં ગરીબોને જીવન જરૂરીયાત ચીજોની ર૬ કીટોનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું.
રાજુલા નજીક કડીયાળી ગામે માનવતાની મહેક પ્રસરી ભાજપ અગ્રણી જીલુભાઈ ભુપતભાઈ બારૈયા તેમજ ગામના સરપંચ મગનભાઈ બળદાણીયા દ્વારા ગામના જરૂરીયાતમંદ લોકો ર૬ વ્યક્તિઓને તેના જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની ર૬ કીટનું વિનામુલ્યે વિતરણ કરાયુ. ગામ તથા આજુબાજુના ગામોમાં લોકોને જાણ થતા માનવતા બાબરીયાવાડમાં જીવંત છે કોઈપણ જ્ઞાતિના ભેદભાવ વગર બાબરીયાવાડના દાતાઓ દ્વારા તેમજ માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની પ્રેરણા ગામોગામ સેવા પ્રવૃત્તિમાં વળી છે તેનું આ કડીયાળી ગામે ભાજપ અગ્રણી જીલુભાઈ બારૈયા અને સરપંચ મગનભાઈની માનવતાની મહેક પ્રેરણાદાયક બની છે.