મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે રાજયકક્ષાનાં દ્વિતીયકલા મહાકુંભ-૨૦૧૮ને ખુલ્લો મુકાયો

1096

સપ્ટે, ગુજરાતનાં સાંકૃતિક વારસાનું જતન થાય તે ઉદેશને પરીપુર્ણ કરવા છેવાડાનાં ગામડામાંથી માંડીને શહેરો સુધી કલાત્મક વાતાવરણનું નિમાર્ણ કરી પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તકોનું નિમાર્ણ કરવા અને કલાકારોની આંતરીક શકિતઓને ખિલવવાનો તથા પુરસ્કૃત કરવાનો અભિગમ સાથે ‘‘ કલા મહાકુંભ‘‘નો પ્રારંભ કરવામાં આવ્યો  છે આ કલા મહાકુંભમાં ૪ લાખથી વધારે કલા સ્પર્કોએ ઉતસાહભેર ભાગ લીધો તે કલા મહાકુંભની શ્રેષ્ઠ સફળતા દર્શાવે છે તેમ આજરોજ રાજકોટ ખાતે રાજયકક્ષાનાં ધ્વિતિય વર્ષ કલા મહાકુંભનાં ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સગૌરવ જણાવ્યુ હતું.

ગુજરાતનું યુવાધન સાંપ્રત સમયમાં રમત-ગમતક્ષેત્રે તેમની મેઘાવી પ્રતિભાથી વિશ્વ ફલક ઉપર ગુજરાતનો ડંકો વગાડી રહયા છે તેવી જ રીતે કલાક્ષેત્રે પણ વિશ્વમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તેમને જરુરી  સાથ-સહાય અને સહકારની તમામ તકો પુરી પાડવા રાજય સરકાર સક્રિય છે અને તે માટે જ સરકારે ખેલ મહાકુંભ-કલા મહાકુંભ જેવા હેતુપુર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું.        સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતે કલાક્ષેત્રે આગવી ઓળખ પ્રસ્થાપિત કરવાની છે તે માટે રાજય સરકાર કટીબધ્ધ છે તેમજ આપણા લુપ્ત થઇ રહેલા વાદૃ-વાજીંત્રોને આપણે પુનઃજીવીત કરવાના છે તે આપણી સહિયારી જવાબદારી છે. આ તકે મુખ્યમંત્રીશ્રી ભુતકાળની યાદોને તાજી કરતા જણાવ્યુ હતુ કે અગાઉ જેમ મુંબઇમાં મુંગી ફિલ્મોનું નિમાર્ણ થતુ હતુ એજ અરસામાં રાજકોટનાં લોધાવાડ વિસ્તારમાં મુંગી ફિલ્મો નિમાર્ણ પામતી હતી આમ રાજકોટ કલાક્ષેત્રે અગાઉથી જ આગવો વૈભવી વારસો ધરાવે છે. તેમણે રંગ મંચ પરથી રાજકોટનાં જાજરમાન પ્રતિષ્ઠીત નામી કલાકારોને પણ યાદ કર્યા હતાં.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે,  આપણી સાંસ્કૃતિક ઘરોહર એવી  કલા, સાહિત્ય, સંસ્કૃતિ ક્ષેત્રે જે કલાકારો પોતાની આગવી ઓળખ બનાવવા માંગે છે તેમને કલા મહાકુંભ થકિ પ્રોત્સાહિત કરવાનો સરકારે સમગ્ર રાષ્ટ્રમાં આગવો પ્રયાસ કર્યો છે.

રાજકોટ ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ધ્વારા આયોજિત દૃવિતિય રાજયકક્ષા કલા મહાકુંભ ૨૦૧૮નાં ઉદઘાટન સમારોહનું મંગલદીપ પ્રગટાવીને રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દબદબાભર્યુ ઉદઘાટન કર્યુ હતુ.

સમારોહમાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગનાં રાજય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે રાજ્ય સરકાર દ્વારા રમત-ગમત તેમજ કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે ખેલાડીઓ તેમજ કલાકારોને વૈશ્વિક પ્લેટફોર્મ પુરૂ પાડવા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૬૦૦ કરોડની માતબર રકમ ઉપલબ્ધ કરાવી હોવાનું અને વિભાગ દ્વારા આ ક્ષેત્રે કરવામાં આવતી  પ્રવૃત્તિઓ, ઉપલબ્ધ યોજનાઓની માહિતી આપી હતી. તેમજ મંત્રીશ્રી ઈશ્વરસિંહે સહર્ષ જણાવ્યું હતું કે  ખેલ મહાકુંભના નિષ્કર્ષ રૂપે હાલમાં જ એશિયન ગેમ્સમાં ગુજરાતના યુવાનોએ મેડલ મેળવી ગુજરાતનું નામ ખેલ ક્ષેત્રે રોશન કર્યું છે.

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગનાં સચિવ શ્રી વી.  પી.પટેલે સ્વાગત પ્રવચનમાં કલા મહાકુંભની વિગત આપતા જણાવ્યુ હતુ કે, રાજયમાં કલા મહાકુંભ માટે આ વરસે ઓન લાઇન અને ઓફ લાઇન બન્ને રીતે રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું. જેનાં થકિ કુલ ૪,૩૯,૨૨૭ સ્પર્કોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કલા મહાકુંભમાં ૪ વિભાગમાં ૨૨ કૃતિઓ ઉપરાંત વધુ ૭ કૃતિઓનો સમાવેશ કરી કુલ ૨૯ કૃતિઓનો કલા મહાકુંભમાં સમાવેશ કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ રાજયકક્ષા કલા મહાકુંભનાં ઉદઘાટન કર્યા બાદ સ્પર્ધક કલાકારોએ વિવિધ લોકનૃત્ય કૃતિઓ રજુ કરી હતી જેની મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી અને તમામ કલાકારોને શુભકામના પાઠવી હતી.આજરોજ  લોકનૃત્ય અને સમુહગીત કૃતિઓ રજુ થઇ હતી

કલા મહાકુંભ ઉદઘાટન સમારોહમાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી લાખાભાઇ મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, અગ્રણી સર્વશ્રી ડી.કે.સખીયા, ભીખાભાઇ વસોયા, ઉદયભાઇ કાનગડ, ભાનુભાઇ મહેતા,, કમલેશભાઇ મીરાણી, શ્રીનીતીનભાઇ ભારધ્વાજ, શ્રી રાજુભાઇ ઘ્રૃવ,પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શ્રી માંધાતાસીંહ જાડેજા, શ્રી ગુણવંતભાઇ ડેલાવાળા, કલેકટરશ્રી ડો. રાહુલ ગુપ્તા,પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની, જીલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવાસીયા, વિશાળ સંખ્યામાં કલાપ્રેમીઓ ઉપસ્થિત રહયા હતાં. આભારવિધિ કમિશનરશ્રી સતિષ એ.પટેલે કરી હતી.

જે.ડી. ત્રિવેદી / આર. કે. /રામાનુજ

Previous articleદરેક વ્યક્તિ દૈનિક એક કલાક શ્રમદાન કરે : વાઘાણી
Next articleફ્લોરેન્સ વાવાઝોડાથી કૈરોલિનામાં ૫નાં મોત