યશવંતરાય નાટ્યગૃહ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

1214

શહેરના આંગણે ગુજરાત તથા આંતરરાજ્યોના અનેક કલાકારો દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને વેસ્ટઝોન કલ્ચર સેન્ટર ઉદયપૂરના ઉપક્રમે ભાવનગરના યજમાન પદે શહેરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ગુજરાત તથા આસામ, હરિયાણા, રાજસ્થાન સહિતના પ્રાંતમાંથી મોટી સંખ્યામાં કલાકારો પોતાની કલા પ્રસુતતી અર્થે પધાર્યા હતા અને એકથી એક ચડીયાતી કૃતિઓ રજુ કરી ઉપસ્થિત દર્શકોને મંત્ર મુગ્ધ કર્યા હતા.

Previous articleઆજથી બે દિવસીય વિધાનસભા સત્ર
Next articleવિદ્યાર્થીઓ વિકટોરીયા પાર્કની મુલાકાતે