વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરે જીવન ટૂંકાવ્યું, એક સપ્તાહમાં ત્રણ ખેડૂતોનો આપઘાત

620

રાજ્યમાં જાણે ધરતીપુત્રોની માઠી બેઠી હોય એકતો વરસાદ ઓછો પડ્‌યો છે, તો બીજી બાજુ સરકાર તરફથી પણ કોઇ મદદ ન મળતાં ખેડૂતો આપઘાત કરી રહ્યાં છે. સુરેન્દ્રનગરના વેજલકા ગામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ખેડૂતે ભાવનગરના સિહોર જઇને આપઘાત કરી લીધો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ત્રીજા ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી આપઘાત કરી લેતા રાજ્યમાં ચર્ચા જાગી છે. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાનાં વેજલકા ગામના ખેડૂતે રવિવારે આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. પ્રાથમિક તારણમાં કહેવામાં આવી રહ્યું છે કે ઝરમરિયા શંકરભાઇ મનજીભાઇ નામના ખેડૂતે ખેડૂતે ભાવનગરના સિહોરમાં સંબંધીના ખેતરમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત પાછળ પાક નિષ્ફળ જવાની ભીતિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

એક તરફ ઓછા વરસાદ તો બીજી બાજુ સરકારની ઉપેક્ષાને કારણે રાજ્યના ધરતીપૂત્રો હાલત દયનીય બની છે. થોડા સમય પહેલા જ અમરેલીના ધારી તાલુકના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરે એક ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે.

પોલીસ ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્‌યો હતો. તો અન્ય એક ઘટનામાં દ્વારાકાના બેહ ગામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે દ્વારકાના બેહ ગામના ખેડૂતને ડર હતો કે તેમનો પાક નિષ્ફળ જવાનો છે. આ ડરથી જ ખેડૂતે ગળે ફાંસો ખાઇને પોતાનું જીવન ટુંકાવી દીધું છે.

Previous articleસાબરકાંઠા ભાજપની કારોબારી બેઠક સાબર ડેરી ખાતે યોજાઈ
Next articleગીરની દલખાણિયા રેન્જમાં બે સિંહણના મોતથી ચકચાર