રાજકપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે નિધન

1170

રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. સોમવાર સવારે 4 વાગ્યાની નજીક તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને કેટલાક વર્ષોથી શ્વાસની બીમારી હતી. તે કપૂર પરિવારની સૌથી સીનિયર વ્યક્તિ હતી. કૃષ્ણા રાજ કપૂરના 5 બાળક છે. રાજ કપૂર સાથે તેમને 1946માં લગ્ન કર્યા હતા. તે રણધીર, રિષી, રાજીવ, રીમા, રિતુની માતા હતી. તે કરીના, રણબીર, રિદ્ધિમા કપૂરની દાદી હતી. રીષિ કપૂર અમેરિકામાં હોવાથી માતાના અંતિમ સંસ્કારમાં હાજર રહેશે નહીં પરંતુ  રણબીર કપૂર ભારત આવવા રવાના થઈ ગયો છે. ક્રિષ્ના રાજ કપૂરના અંતિમ સંસ્કાર આજે(1 ઓક્ટોબર) સાંજે સાડા પાંચ વાગે ચેમ્બુર ખાતે કરવામાં આવશે.

રણધિર કપૂરે પરિવાર તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું અને કહ્યું હતું, ”મને એ જણાવતા દુઃખ થાય છે કે આજ સવારે મેં મારી માતાને ગુમાવી દીધી છે. તેમના અંતિમ સંસ્કાર ચેમ્બુરમાં કરવામાં આવશે.”

 

Previous articleસર્જિકલ સ્ટ્રાઇક પ્રોક્સીવોરનો જવાબ હતો : મોદીની સાફ વાત
Next article1 ઓક્ટોબરથી લાગુ થઇ રહ્યા છે આ 5 નિયમ