રાજુલા-જાફરાબાદ સુર્યસેના દ્વારા શસ્ત્ર પુજન – અશ્વ રેલીનું આયોજન

737

દશેરા નિમિત્તે સમગ્ર દેશમાં શસ્ત્રનું પુજન થતું હોય છે. ત્યારે  સુર્યસેના દ્વારા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર શસ્ત્ર પુજન જોવા મળિયા પરંતુ રાજુલા જાફરાબાદ પંથકમાં સુર્યસેના નવરાત્રી ગ્રાઉન્ડે ખાતે શસ્ત્ર પુજન બપોર બાદ રાખવામાં આવ્યું હતું. અહીં શહેર અને આસપાસના ગ્રામ્ય વીસ્તારમાંથી અશ્વ હથિયારો સાથે આવ્યા હતાં અને દશેરા નિમિત્તે શસ્ત્ર પુજન બાદ શહેરના મુખ્ય માર્ગો પર કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂત સહિત મોટાભાગના ક્ષત્રિય્‌ સમાજના યુવાનોથી લઈને અગ્રણીઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતાં. અને રેલીની મેદનીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. અહીં આ વર્ષે ઐતિહાસિક ભવ્ય સફળતાસાથે યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં અને ક્ષત્રિયોની પરંપરા મુજબ સાફા સાથે હથિયારોનું પુજન કરી અશ્વ સાથે શહેરભરમાં રેલી કાઢી હતી અને ખુબ ઉત્સાહપુર્વક આ વર્ષે શસ્ત્ર પુજનની ઉઝવણી કરવામાં આવી હતી જો કે અહીં દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે ક્ષત્રિય સમાજનો ઉત્સાહ અદ્‌ભૂત જોવા મળિયો હતો. સાથે સાથે અન્ય જ્ઞાતિના લોકો પણ આ શક્તિ પ્રદર્શન નિહાળવા ઉમટી પડ્યા હતાં. આવનારા દિવસોમાં રાજુલા જાફરાબાદ પંથકમાં કાઠી ક્ષત્રિય સમાજનું સંગઠન વધુ મજબૂત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

ક્ષત્રિય સમાજે પરંપરા જાળવી રાખવી

કાઠી ક્ષત્રિય સહિત રાજપૂત સમાજની વર્ષો બાદ તેમની પરંપરાઓ જાળવી રાખી છે. આજે પણ શસ્ત્ર પુજન હથિયારોનું કર્યુ સાથે અશ્વો સાથે શહેરભરમાં રેલી નિકળી ત્યારે તેમનું હજુ પણ સમાજની પરંપરા જોવા મળી રહી છે. અને આજે આ અશ્વ સાથે રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Previous articleસિહોર કારડીયા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન
Next articleદામનગરમાં ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા શસ્ત્રપૂજન, મહારેલી યોજાઈ