મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામે રૂપિયા ૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા માર્કેટીંગ યાર્ડના લોકાર્પણ પ્રસંગે કહ્યુ કે, નૂતન વર્ષમાં ખેડૂતો માટે સરકારે નવી સુવિધા માર્કેટ યાર્ડ ના સ્વરૂપે જનતાને ૧૪ મહિનાના ટૂંકા ગાળામાં અર્પણ કરી છે.
તેમણે એમ પણ જાહેરાત કરી કે, ગીર સોમનાથ જિલ્લાનો સૌથા મોટા એવા હિરણ ડેમને સૌની યોજનાની ભરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં પાણી નો દુકાળ ભૂતકાળ બને તે માટે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ નર્મદા ડેમના પાણીથી ભરવાની પ્રક્રિયા એક વર્ષમાં પૂર્ણ થઈ જશે. ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લઈ સમૃદ્ધ બને તે દિશામાં સરકાર કામ કરી રહી છે અને ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો હિરણ ડેમ સૌની યોજનાથી ભરાશે. આ સરકાર ખેડૂતો ગરીબો વંચિતો ની સરકાર છે, ખેડૂતોને પૂરતા ભાવ મળે યુવાનોને રોજગારી મળી રહે પાકના પુરતા ભાવ મળે તે દિશામાં સરકાર મહત્વના કામ કરી રહી છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ખેડૂતોને મૂલ્યવર્ધન સાથે પુરતા ભાવ મળેએ આપણા ખેડૂતોનો માલ વિદેશમાં નિકાસ થાય તે માટે સરકાર કામ કરી રહી છે.
ફાર્મ ટુ ફોરેનની વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. સરકાર મગફળી ના ટેકાના ભાવો થી ખરીદી કરવા જઈ રહી છે સહકારી મંડળી દ્વારા નહીં પણ યાર્ડ દ્વારા મગફળીની ખરીદી થશે ખેડૂતોને પૂરતા નાણાં મળી રહે અને પછી હરાજીમાં માલ જશે રાજ્ય સરકાર દ્વારા પારદર્શક રીતે ઓનલાઈન નોંધણી કરી વહેલા તે પહેલા ના ધોરણે ખરીદી થશે.