અધેવાડા પાસે કાર – ટ્રકના અકસ્માતમાં યુવકનું મોત

2012

ભાવનગર નજીક ટ્રક અને કાર અથડાતાં કાર ચાલકનું કરૂણ મોત નિપજયું હતું.   ભાવનગર નજીક અધવેાડા ઝાંઝરીયા હનુમાન મંદિરના વળાંક પાસે હુંકાઈ ક્રિએટા કાર નં. જીજે ર૭ બી ર૪ ર૪ સાથે પુરઝડપે ધસી આવેલો ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક શહેરના તળાજા જકાતનાકા ટોપ થ્રી સર્કલ પાસે રહેતા પલેવાળ બ્રહ્મણ બાલકૃષ્ણભાઈ કાનજીભાઈ પનોત (ઉ.વ.૪પ)નું ગંભીર ઈજા થતાં મોત નિપજયું હતું. મરનાર એગ્રોનો વ્યવસાય કરતાં હતાં. આ બનાવ અંગે ભરતનગર પોલીસે ટ્રક પાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Previous articleમોરારિબાપુ દ્વારા તલગાજરડા ખાતે રવિવારે સંતવાણી એવોર્ડ કાર્યક્રમ
Next articleસિહોરના યુવાન પર ચાર શખ્સોનો છરી વડે હુમલો