બરવાળા ખાતે બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

676

બરવાળા મુકામે રોયલ એજન્સી દ્વારા બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બળવંતસિંહ મોરી (પ્રમુખ બરવાળા ન.પા.), દિલુભા ઝાલા, હિંમતભાઈ મેર, જેઠાભાઈ સોલંકી, અનિલભાઈ ગઢવી (મેનેજર સૌરાષ્ટ્ર કચ્છ) સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

બરવાળા શહેર ખાતે તા. રપ-૧૧-૧૮ના રોજ સવારના ૯-૦૦ કલાકે બાઈક રેલીના ર૦ જેટલા બાઈકર્સનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડો. વર્ગીસ કુરિયનના જન્મ દિવસની ઉજવણી પ્રસંગમાં બાઈક રેલી સ્વરૂપે જઈ રહેલા લોકોનું રોયલ એજન્સી તેમજ ઉપસ્થિત આગેવાનો દ્વારા સત્કારવામાં આવ્યા હતાં. બાઈક રેલી ભાવનગરથી પ્રસ્થાન કરવામાં આવી હતી જે સુરેન્દ્રનગર થઈ આણંદ મુકામે પુર્ણાહુતી થશે. ત્યાર બાદ સમગ્ર દેશના અલગ-અલગ ઝોનમાંથી એકઠા થયેલા લોકો દ્વારા અમુલ મિલ્કના સ્થાપક ડો. વર્ગીસ કુરિયનના ૯૭માં જન્મદિવસની તા. ર૬-૧૧-૧૮ના રોજ ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવશે. બરવાળા ખાતેના સ્વાગત કાર્યક્રમને સફળ બનાવવા રોયલ એજન્સીના નસરૂભાઈ વેલાણી દ્વારા જહેમત ઉઠાવી હતી.

Previous articleશિશુવિહાર સંસ્થાનું નડિયાદમાં સન્માન
Next articleએપીએમ ટર્મિનલ્સ પીપાવાવ યુવાનોને સ્વનિર્ભર બનાવવા તાલીમ અપાશે