શિક્ષકોની ભરતી કરવા માટે ર૦૦ થી વધુ ઉમેદવારોની શિક્ષણમંત્રીને રજુઆત

830

આજરોજ શિક્ષકોની ભરતીમાં થતા અન્યાય અને ખાલી જગ્યાઓ હોવા છતાં શિક્ષકોની ભરતી નહીં થતી હોવાની માંગ લઈને ર૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં ભરતી માટે શિક્ષણમંત્રીને રજુઆત કરી હતી.

ધોરણ – ૬ થી ૮ માં પ્રાથમિક વિદ્યાસહાયકોની ભરતી કરવા માટે માંગ કરી હતી. તેમના કહેવા મુજબ ગુજરાતમાં ર૦૮૦૦ શિક્ષકોની ઘટ હોવા છતાં સરકારે માત્ર ૩ર૬ર ની જ ભરતી કરી છે. જે ખરેખર ૧ર૪૮૦ ભરવાની થતી હતી. આમ વધારે જગ્યાઓ ફાળવી ભરતી કરવા માટે અમારી માંગ છે.

Previous articleહાઈકોર્ટે ભાવનગર-વેરાવળ વચ્ચેની જમીન સંપાદન વટહુકમ રદ કર્યો
Next articleભૂસા ભરેલા ટ્રકમાંથી વિદેશી દારુ ઝડપાયો