મહુવા બસ સ્ટેન્ડથી ઉમણીયાવદરના સાંકડા રસ્તાથી વાહન ચાલકો પરેશાન

1370

મહુવા શહેરમાં બસ સ્ટેન્ડ થી ઉમણીવદર નવ પુલ સુધીનો માર્ગ એકદમ અત્યંત સાકડો હોવાથી અકસ્માત ના બનાવો અવાર-નવાર બનતા રહે છે.

ભાવનગર જીલ્લાના મહુવા શહેરમાં બસ સ્ટેન્ડ થી ઉમણીવદર નવ પુલ સુધીનો માર્ગ એકદમ અત્યંત સાકડો અને બિસ્માર રસ્તો  હોવાથી અવારનવાર અકસ્માત ના બનાવો બનતા રહે છે  અને લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર લેવી પડે છે.  રસ્તો એકદમ સાકડો હોવાથી  સામે સામે બે એસટી બસ પણ પસાર થઈ શકતી નથી સાથે ટ્રાફીક જામ થવાથી લોકો ને ભારે હાડમારી ભોગવવી પડે છે. મહુવા શહેરીજનો એ બધાંજ સરકારી તંત્ર ને વારંવાર રજુઆત કરવા  છતાં   તંત્ર દ્વારા કોઈ  પગલાં નથી લેવાતા  ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય કરવા લોક માંગ ઉઠવા પામી છે.

Previous articleઅમરેલી જિલ્લા પરિવાર ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન, ઈનામ વિતરણ સમારોહ
Next articleઆસોદર, મતિરાળા પ્રા.આ. કેન્દ્રમાં શાળા આરોગ્ય તપાસણીનો પ્રારંભ